SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ નથી? આ સંસારની ચારગતિમાં મને શું મળે છે કે દુઃખ પડવા છતાં હું એ પળોજણ છોડી શકતો નથી ? શાતા અશાતાને આધીન, મરણને આધીન, સ્વજન ધનાદિને આધીન વળી તે સર્વ ક્ષણભંગુર છતાં તેમાં સુખની કલ્પના કરું છું. વળી વીતેલા આયુષ્યની એક પળ ઈન્દ્ર જેવા સમર્થ પણ પાછી મેળવી શકતા નથી તો તારું શું ગજું? એ સમયનો આજ દિન સુધી તે શું સઉપયોગ કર્યો ? કંઈ નહિ, થયું તે થયું હવે, ચેતી જા. વરસ દીનાકી ગાંઠની ઉજવે ગાય બજાય, મૂરખ મન જાણે નહિ વરસ ગાંઠ કો ખાય.” ભાઈ ! તું તારા સાઈઠ કે પંચોતેર વર્ષ ઉજવે, કદાચ શતાબ્દી પૂરી કરે, પછી શું? મુઠ્ઠી બાંધી આવેલો ખાલી હાથે જવાનું? આયુ ઘટે વય વધે તેમાં તું શું ઉજવે છે? જન્મની પળથી મૃત્યુનો પ્રારંભ થઈ જાય છે. સાઈઠ સીત્તેર કે સો વર્ષની આયુષ્યની ગાંસડી લઈ આવ્યો હતો તે વય વધતા ઘટતી જાય છે. “ક્ષણ ક્ષણ કરતા તો મારું આયુ વહી જાય, દિવસ ને રાત મને એમ કહી જાય.” સાધક ચિંતવે છે કે ભૂતકાળ ગયો, વર્તમાન પ્રમાણે ભાવિ ઘડાશે, માટે વર્તમાન જ સાધી લેવા જેવો છે. તે સાધ્ય તો શુદ્ધાત્મા કે સિદ્ધત્વ છે. સાધન સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર છે. તે સાધનને સેવવા માટે સત્પુરૂષાર્થ છે. જે વર્તમાનમાં જ થઈ શકે છે. પુણ્યયોગે હજી તને દેહાદિ સાનુકૂળ છે. ભૂમિકા પ્રમાણે ઔચિત્ય આરાધન, તપ, જપ, ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, સદ્ગુરુની નિશ્રા વગેરે મળ્યા છે. માનવજીવનની આંખની પલક જેટલો સમય રત્નચિંતામણિથી અધિક મૂલ્યવાન છે. તે જડ પદાર્થોને કંઠે બાંધ નહિ પણ આત્મસ્વરૂપમાં જોડી દે પછી જીવન સાર્થક છે. ૬ ૧૧. વિનય મૂલો ધમ્મો : સાધકનું સાધ્ય સિદ્ધત્વ કે શુદ્ધાત્મા છે. તો સાધન પણ તેવા જ જોઈશે. તે સાધનની પ્રાપ્તિની સુલભતા માટે સાધકને ગુણાત્મક ભાવના જરૂરી છે. શાસ્ત્રકારોએ પરમાર્થ માર્ગમાં વિનયને પણ ધર્મનું મૂળ કહ્યું પ્રશમરતિ વિનય મૂલો ધમ્મો ૧ ૧૯ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy