SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ મદ દ્વારા જોયું કે ગુણ જ અવગુણ બની જાય છે. પરમાર્થથી જોતાં જેના સવિચાર વડે જીવ આત્મવિકાસ કરે તેવા ઉચ્ચ કુળાદિના મદ, અહંકાર વડે સંસારવૃદ્ધિ કરે છે. કોઈપણ મદનો પ્રકાર હાનિકર્તા છે. મદના અહંકારરૂપી અંધકારમાં જીવને તેમાં અહિતનો ખ્યાલ નથી. પરંતુ કોઈ સદ્ગુરુ કે શાસ્ત્રબોધ મળી જાય તો તેને તેના દુષ્પરિણામોનો ખ્યાલ આવે છે. ગ્રંથકાર જાણે છે કે જીવ અનાદિથી પૌદ્ગલિક પરભાવોથી અભ્યાસી છે. આજ સુધીના જન્મોમાં એને સત્નો રંગ અનુભવ્યો નથી તેથી મદ જેવા અહિતકારી ભાવોને જાણ્યા નથી. મુનિઓ પણ ચળી ગયા તેવો આ દોષ સામાન્ય માનવી સોધ દ્વારા જ ગૌણ કરી શકશે. માયા : માયાની પ્રકૃતિવાળો જીવ શું મેળવે છે ? કદાચ માયા કરીને કે કોઈને છેતરીને સંપત્તિ મેળવી ત્યારે પણ આકુળતા ને દુ:ખ હતા પણ માયાએ તને જણાવા દીધું નહિ. માયાવી માણસનો કોઈ વિશ્વાસ ન કરે. સ્નેહીજનો પણ દૂર રહે. કોઈપણ ક્ષેત્રમાં તેનું માન હોતું નથી એકવાર ગુમાવેલા માન યશ પાછા મળતા નથી. તેની પાછળ સૌને અભાવ તિરસ્કાર જ હોય છે. ...' માયાવી કુંટુંબમાં, સ્વજનમિત્રોમાં, સમાજમાં એમ સર્વ ક્ષેત્રે તિરસ્કાર પામે છે. તે પોતાના દોષે દોષિત થાય છે અને પુનઃ દારૂણકર્મ બાંધે છે. માયાવી પ્રાયઃ તિર્યંચગતિનો યાત્રી બને છે. મોક્ષનો યાત્રી થવા જન્મેલો તું કયાં ઘકેલાઈ ગયો તેનો વિચાર કરજે. પછી ભલે તું ધનવાન હો કે ધર્મી, સાધક હો કે સાધુ, માયાના સંગથી તને આપત્તિઓ વિંટળાઈ જશે. માયા સાથે બીજા દોષોનું સેવન થવાનું. આથી તું માનવ હોવા છતાં પ્રકૃતિએ પશુ શા માટે બને ? તને જો સુખ વહાલું છે તો કોઈ સદ્ગુરુનો સંપર્ક કર અને માયાની ગુલામીમાંથી મુક્ત થા, તો સરળતાનો ગુણ તારા પુણ્યને પ્રગટ કરી સુખ આપશે. ન ધારેલા સુખ સંપત્તિનો સ્વામી થઈશ. સરળતા તારા આત્માનો ગુણ છે. પ્રશમરતિ સમક્તિનું મૂળ જાણીએ જી, સાચામાં સમક્તિ વસેજી, સત્ય વચન સાક્ષાત્; માયામાં મિથ્યાત્. રે પ્રાણી ન કરીશ માયા લગાર ઉદયરત્ન કહે સાંભળોજી, મેલો માયાની બુદ્ધ, મુક્તિપૂરી જાવા તણોજી, Jain Education International એ મારગ છે શુદ્ધ. રે પ્રાણી ન કરીશ માયા લગાર ૧૦૪ સુખનો સ્વામી કલેશવાળો કેમ થયો ? www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy