SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. બુદ્ધિમદ : આ બુદ્ધિમાં આત્મા શક્તિનો સહયોગ છે, છતાં એ બુદ્ધિ પદ્ગલિક છે. તેનો વિકાસ પણ જ્ઞાનાવરણના ક્ષયોપશમ ઉપર આધારિત છે. વળી તે જન્માંતરે સાથે આવતી નથી. અહીંના ક્ષેત્રે કોઈ ડોકટર કે વકીલની શ્રેષ્ઠ કારકીર્દિ હોય કે જેમાં બુદ્ધિની વિશિષ્ટતા છે તો પણ તે જન્માંતરે સાથે આવતી નથી. વળી ચૌદ પૂર્વધર કે કેવળજ્ઞાનીના શુદ્ધ જ્ઞાન પાસે આ બુદ્ધિબળ બિંદુ માત્ર નથી. તેની જાતનું પણ નથી. જ્ઞાન જીવનો ગુણ છે તે જેટલો નિર્મળ બને તેટલો જન્માંતરે સાથે જાય છે. અને પરંપરાએ જીવને મોક્ષપંથે પહોંચાડે છે. બુદ્ધિના કે જ્ઞાનના મદને અહિતકારી જાણી ત્યજી દે અને બુદ્ધિની સ્વ-પર શ્રેયરૂપ પ્રવૃત્તિ કરીને જીવન સાર્થક કરી લે. વિનયી અને વિનમ્ર બનીને શ્રુતસાગરમાં ભળી જાવાથી બુદ્ધિ પ્રજ્ઞા બને છે. ૭. લોકપ્રિયતામદ : તમારી લોકપ્રિયતા ભૌતિકતાની છે કે ગુણસંપન્નતાની છે? લોકપ્રિયતા એ સાધકનો ગુણ છે, જેને કોઈની પાસે કંઈ અપેક્ષા નથી. લોકપ્રિયતા માંગવાથી મળતી નથી. તું પરમાર્થ માર્ગનો સાધક છે તારે વળી માંગવાનું હોય? લોક નિંદા કરે કે વંદના કરે તમે તો આંબાની જેમ લચેલા છો. તમે દીન અને હીન નથી, ગુણોથી સંપન્ન છો તે તમારી લોકપ્રિયતાનું સબળ કારણ છે. તેથી તે વડે તમે સ્વ-પર શ્રેય સાધ્ય કરી શકો છો. તમારા સત્કાર્યોથી તમે અપેક્ષારહિત લોકપ્રિયતા મેળવી છે તે તો તમારું યશનામકર્મ છે. તમે નિર્લેપ છો, તેની પાછળ દોડ શા માટે? “અરે, પ્રારબ્ધ તો ઘેલુ ન માંગે દોડતું આવે !” માટે લોકમાં પ્રિય થવા માયા કપટ કરવા નહિ. ગુણો વડે લોકપ્રિયતા સહેજે મળશે. ૮. શ્રુતમદ : પરમાર્થના સાધનાપથની યાત્રામાં પડવાના અનેક વિઘ્નો આવે છે. કિનારે પહોંચ્યા પહેલા નાવ છોડી દે તો માનવ નદીમાં ડૂબી જાય. જ્ઞાનમાર્ગ મહા પુરૂષાર્થ અને જાગૃતિનો છે તેનું મોટું ભય સ્થાનક જ્ઞાનનો મદ છે. જીવનું મન:પર્યવ સુધીનું જ્ઞાન પણ પૂર્ણ શુદ્ધજ્ઞાન પાસે બિંદુ સમાન છે. પરંતુ જેમ દેડકાને કૂવો દરિયાથી મોટો લાગે છે તેમ અપૂર્ણ જ્ઞાનવાળો જયારે ગુરુની નિશ્રા ત્યજે છે ત્યારે તેની તેવી દશા થાય છે. શાસ્ત્રના સૂત્રોમાં અનેક રહસ્યો ભર્યા છે, તેમાંથી ભોંય પડેલા અલ્પ દાણા લેવાથી કંઈ શ્રુતજ્ઞાની થવાતું નથી. વળી શ્રુતજ્ઞાન પણ જો આત્મજ્ઞાન રહિત હશે તો તને મદથી ઘેરી લેશે અને મળેલું શ્રુતજ્ઞાન પણ કેવળ આ જન્મની સ્મૃતિ જેવું બની જશે. માટે પૂર્ણતા પામતા સુધી શ્રતમદને ત્યજી વિનયભાવે જ્ઞાનના ગ્રાહક થવું. પ્રશમરતિ ૧૦૩ સુખનો સ્વામી કલેશવાળો કેમ થયો? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy