SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સુકાઈ જાય છે, તેમ ક્રોધના તાપથી જીવનું સમતારૂપી સરોવર શોષાઈ જાય છે. તેથી જીવો વિષયને પરાધીન થઈને તૃષ્ણા વડે પીડા પામીને કલેશને ધારણ કરે છે. આમ સમતાના અભાવથી તે જીવો તૃષાતૂર રહીને મરણને શરણ થાય છે. [33] પિતા માતા પ્રતાપમષિતસિદ્ધાવમમતો . गुणग्रामज्ञाता न खलु धनदाता च धनवान् ॥ जनाः स्वार्थस्फातावनिशमवदाताशयभृतः । प्रमाता कः ख्याताविह भवसुखस्यास्तु रसिकः ॥ १४ ॥ મૂલાર્થ ઃ આ સંસાર-સુખનું વર્ણન કરવામાં કયો રસિક પુરુષ પ્રમાતા છે ? કેમ કે પિતા, માતા, અને ભ્રાતા પણ સ્વઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય તો જ માન્ય થાય છે. તથા તેમના ઉપકારાદિક ગુણ સમૂહને જાણતો છતાં અને પોતે ધનવાન છતાં પણ ધનને આપતો નથી. કારણ કે સૌ પોતાના સ્વાર્થની વૃદ્ધિમાં નિરંતર અત્યંત ગાઢ પરિણામવાળા રહે છે. ભાવાર્થ : હે પ્રાણી, સંસારમાં મનુષ્યાદિક જન્મ પામેલાને સુખનું પ્રમાણ આપવા કયો રસિક પુરુષ સમર્થ છે. કારણ કે દરેકના અંતરમાં તો દાહ પ્રજ્વલિત હોય છે, તે કેવી રીતે સુખનું પ્રમાણ આપી શકે ? વળી સંસારમાં પિતા, માતા, ભ્રાતા સૌ પોતાના જ સ્વાર્થની પૂર્તિ ઇચ્છે છે, અને પુત્રાદિક પોતે સમૃદ્ધિવાન થતાં પિતા આદિના ઉપકારનું વિસ્મરણ કરે છે. આ પ્રમાણે સંસારમાં સૌ સ્વાર્થજનિત પરિણામ ધારણ કરનારા છે, અને નિરંતર પોતાની જ વૃદ્ધિ અને રિદ્ધિમાં જ રાચતા હોય છે. તે અન્યોન્ય પ્રત્યુપકાર ક્યાંથી કરે ? સુખની આશાએ ઉભો કરેલો પરિવાર જ દુઃખનું કારણ બને છે. છતાં જીવો એ સંસારમાં રાચી રહે છે. [૧૦] પઃિ પ્રાકૃતાત્મહદ મતિ સ્વાર્થ રૂદ થાનું ! त्यजत्युच्चैलॊकस्तृणवदधृणस्तानपरथा ॥ विषं स्वान्ते वक्त्रेऽमृतमिति च विश्वासहतिकृद्द्मवादित्युद्वेगो यदि न गदितैः किं तदधिकै ॥ १५॥ ૫૪ : અધ્યાત્મસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy