________________
સ્વાદ નરક સંબંધી અનેક પ્રકારના દુઃખોને ઉત્પન્ન કરનાર છે. આથી સાંસારિક સુખમાં નિમગ્ન થયેલા જીવો આ ભવ અને પરભવ બંનેમાં દુઃખ પ્રાપ્ત કરે છે. માટે ભવસ્વરૂપનું વારંવાર ચિંતન કરીને ભવભ્રમણથી મુક્ત થવું.
[६] क्वचित्प्राज्यं राज्यं क्वचन धनलेशोऽप्यसुलभः । क्वचिज्जातिस्फातिः क्वचिदपि च नीचत्वकुयशः ॥ क्वचिल्लावण्यश्रारतिशयवती क्वापि न वपुः । स्वरुपं वैषम्यं रतिकरमिदं कस्य नु भवे ॥ ११ ॥ આ સંસારમાં કોઈ વાર મોટું રાજ્ય મળે તો કોઈ વાર ધનનો લેશ પણ દુર્લભ થાય છે. કોઈ જન્મમાં ઉચ્ચ જાતિ તો કોઈ જન્મમાં નીચ કૂળરૂપી અપયશ પ્રાપ્ત થાય છે. તથા કોઈ જન્મમાં દેહ સૌંદર્યની અતિશય શોભા તો કોઈ જન્મમાં શરીરનું રૂપ જ હોતું નથી. આ પ્રમાણે સંસારની વિચિત્રતા કોને પ્રીતિકારક થાય ? કોઈને પણ ન થાય.
.
ભાવાર્થ : અહો ! આ સંસારમાં કેવી વિષમતા છે ? જીવ ચૈતન્યપણે સમાન હોવા છતાં કર્મની વિચિત્રતાથી વિષમપણું પામે છે. જીવ કોઈ જન્મમાં રાજાપણું પામી માન મેળવે છે. તો તે જ જીવ બીજા જન્મમાં દરિદ્રતા પામે છે. વળી કોઈ જન્મમાં તે ઉચ્ચકૂળને પામે છે તો કોઈ જન્મમાં તે જ નીચ કૂળમાં જન્મે છે. કોઈ જન્મમાં તે અનુપમ સૌંદર્ય પામે છે તો કોઈ જન્મમાં તે નરક કે તિર્યંચ જેવા કદરૂપા શરીરને પ્રાપ્ત કરે છે. આવી વિષમતા અને વિચિત્રતાવાળા સંસારમાં પ્રીતિ કરવા જેવી નથી. સંસારના લોભમણા પદાર્થો આખરે બિહામણા બને છે. [9] હોદ્દામઃ કામઃ સ્વતિ પિંથી મુળમહીमविश्रामः पार्श्वस्थितकुपरिणामस्य कलहः ॥ बिलान्यन्तः क्रामन्मदफणभृतां पामरमतं । वदामः किं नाम प्रकटभवधामस्थितिसुखम् ॥ १२ ॥ મૂલાર્થ : પામર પ્રાણીઓએ માનેલા પ્રગટ સંસારરૂપી ગૃહમાં
Jain Education International
૫૨ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org