________________
મૂલાર્થઃ અહો ! મહોખેદની વાત છે કે આ સંસાર ભયંકર હિંસાદિનું સ્થાન છે. તેમાં સ્ત્રી-પુત્રાદિકના સ્નેહથી રચેલા પાશને ગળામાં બાંધીને અત્યંત દુખાર્ત અને સ્વભાવથી જ કૃપણ એવા પ્રાણીરૂપ પશુઓ શબ્દાદિક વિષમ વિષયોરૂપી ઘાત કરનારા સુભટો વડે પીડા પામે છે.
ભાવાર્થ : હે જીવ ! આ સંસારનું કોઈ સ્થાન એવું નથી કે જ્યાં અન્ય જીવની વિરાધના-હિંસા થતી ન હોય. વળી સ્ત્રી પુત્રાદિકમાં રાગરૂપી ભાવહિંસા વડે જીવ તુચ્છ બકરાં ઘેટાંની જેમ બંધાયેલો છે. વળી શબ્દાદિક વિષયોથી આત્મગુણોનો ઘાત પામી અનેક જન્મમરણનાં દુઃખ પામે છે. દુઃખદાયી એવા વિષયોનું બુદ્ધિમાન સેવન કરતો નથી. [10] વિદ્યામાં રાત્રી રતિ વહતે મૂર્ખ વિષમ !
कषायव्यालौधं क्षिपति विषयास्थीनि च गले ॥ महादोषान् दन्तान् प्रकटयति वक्रस्मरमुखो ।
न विश्वासार्होऽयं भवति भवनक्तञ्चर इति ॥ ५ ॥ મૂલાર્થ : હે આત્માર્થી ! આ સંસાર રાક્ષસરૂપ છે. કારણ કે તે અજ્ઞાનરૂપી રાત્રીમાં ફરે છે. મસ્તક ઉપર ભયંકર કષાયોરૂપી સર્પના સમૂહને વહન કરે છે. ગળામાં વિષયોરૂપી અસ્થિસમૂહને નાંખે છે. તથા કામદેવરૂપી કદરૂપા મુખવાળો તે ભવ રાક્ષસ મહાદોષોરૂપી દાંતોને પ્રગટ કરે છે. માટે તેનો વિશ્વાસ કરવા જેવો નથી.
ભાવાર્થ : હે આત્માર્થી ! આ સંસાર અંધકારમાં ભમવાવાળો નિશાચર રાક્ષસ છે. તે રંકથી માંડીને રાજા સુધી સર્વનું ભક્ષણ કરનાર છે. તે ભવરાક્ષસ અજ્ઞાનરૂપી અંધકારમાં ભ્રમણ કરવાવાળો
સંસાર સ્વયં કષાયયુક્ત છે. એવા ક્રોધાદિકષાયો રૂપી સર્પોને ભવરાક્ષસ ધારણ કરે છે. એ સંસાર વિવિધ વિષયોથી ભરપૂર છે, એ વિષયોરૂપી અસ્થિની માળા ભવરાક્ષસ કંઠમાં ધારણ કરે છે.
૪૮ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org