SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ આગ ચારે બાજુ ભભૂકે છે. બીજી બાજુ તે ઈન્દ્રિયોના વિષયનો સમૂહ જાણે પર્વતના શિખરેથી માથે તૂટી પડતા પથ્થરોની જેમ પીડા આપે છે. તે ઓછું હોય તેમ નદીઓના સંગમની જેમ ક્રોધાદિ કષાયોનો સંગમ ભવસાગરને પાર કરવા દેતો નથી. આમ સર્વ પ્રકારે ભવ સાગરને પાર કરવો ભયંકર છે એમ જાણી ભવસ્વરૂપનું ચિંતન કરવું. [૭] પ્રિયા વીના ત્રોનેતિ રતિસત્તાપતના ! कटाक्षात् धूमौधान् कुवलयदलश्यामलरुचीन् ॥ अथाङ्गान्यङ्गाराः कृतबहुविकाराश्च विषयाः । दहन्त्यस्मिन् वह्नौ भववपुषि शर्म क्व सुलभम् ॥ ३ ॥ મૂલાર્થ : જે સંસારરૂપ અગ્નિમાં રતિરૂપ સંતાન વડે ચપળ એવી પ્રિયારૂપ જ્વાળા કમળના પત્રની જેમ શ્યામકાંતિવાળા કટાક્ષોરૂપી ધૂમ સમૂહને ઉદ્ધમન કરે છે, તથા ઘણા વિકારને કરનારા વિષયો રૂપી અંગારાઓ અંગને બાળી નાખે છે, તેવા આ સંસાર સ્વરૂપ અગ્નિમાં કયા સ્થાને સુખની સુલભતા છે. કાંઈ નથી. ભાવાર્થ: હે આત્મન ! સંસાર એ સંતાપરૂપી દાવાનળ છે તેમાં સુખ તો ક્વચિત મળે છે, તે મેળવવા પણ દુઃખ સહન કરવું પડે છે, અને દુઃખનો તો પાર નથી, સંસારરૂપ આ અગ્નિ કામભોગની અભિલાષાવાળા જીવોને સ્ત્રી-પુરુષ અન્યોન્ય વૃત્તિ અગ્નિશિખાની ઉત્તેજિત કરે છે. સ્ત્રીઓના નેત્રાદિ તે અગ્નિશિખાના ધુમાડારૂપ જીવને અંધ બનાવે છે અર્થાત્ સ્ત્રી-આસક્ત જીવં મોહાંધ બને છે. વળી શબ્દાદિક વિષયો રૂપી અંગારા પ્રત્યેની વિષયવૃત્તિ જીવની આત્મશક્તિને બાળે છે માટે સંસારને અનિરૂપ માનીને તેનો ત્યાગ કર. [७९] गले दत्त्वा पाशं तनयवनितास्नेहघटितम् । निपीऽयन्ते यत्र प्रकृतिकृपणाः प्राणिपशवः ॥ नितान्तं दुःखार्ता विषमविषयैर्घातिकमटै- । ભવઃ સૂના સ્થાનં તવદદ મહાસાધ્વસમું || ૪ | ધુમા વળી બાળે છે ભવસ્વરૂપની ચિંતા-ચિંતન : ૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy