SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ આવા વ્યર્થ લાભની અપેક્ષા વડે તે દંભી-મૂર્ખ માનવ જ્યારે સાચી વાત પ્રગટ થાય ત્યારે સ્વયં પોતે જ અપયશ પામે છે. અને આત્મઅહિત કરે છે. માટે આત્મહિતેચ્છુએ તો દંભનો હંમેશાં ત્યાગ કરવો. [૬૧] અસતીનાં થયા શીત-મશીનચૈવ વૃદ્ધયે | दम्भेनाव्रतवृद्धयर्थं व्रतं वेषभृतां तथा ॥ ८ ॥ મૂલાર્થ : જેમ અસતી સ્ત્રીનું શીલ તે અશીલ દુષ્ટ આચારોની જ વૃદ્ધિ કરે છે. તેમ માત્ર વેશધારી સાધુપુરુષનું દંભસહિત વ્રત પણ અવ્રતની જ વૃદ્ધિ કરે છે. ભાવાર્થ : અહો કર્મની વિચિત્રતા ! જેમ અસતીનું શીલ મનશુદ્ધિ વાળું નહિ પણ લોકલજ્જાયુક્ત, કે પરિવારના ભયવાળું હોય તો તે શીલ પણ અશીલપણું પામે છે, તેમ અંતરમાં કામના ધુમાડા ઊઠે અને દંભવડે એ દોષને ઢાંકવારૂપ સાધુપણું ધારણ કરનાર પણ વ્રતને વ્યર્થ કરે છે, અવ્રતમાં જ વૃદ્ધિ કરે છે. માટે હે સાધુ ! હૃદયપૂર્વક શુદ્ધ સાધુતાને ગ્રહણ કરવી. મહાપુણ્યે સાધુપણું પામ્યો છું તેને સાર્થક કરીલે. [૬૨] ખાનાના અપિ તમ્મસ્ય રિતે વનિશા બનાઃ । तत्रैव धृतविश्वासाः प्रस्खलन्ति पदे पदे ॥ ९ ॥ મૂલાર્થ : અહો મૂર્ખજનો દંભના વિચેષ્ટિતને જાણીને પણ તે દંભ ઉપર શ્રદ્ધા રાખીને પગલે પગલે સ્કૂલના પામે છે. ભાવાર્થ : અહો મૂર્ખજનો, દંભની વિડંબનાને જાણીને દંભમાં જ સુખ જોઈને, તેમાં શ્રદ્ધા રાખીને પગલે પગલે તિરસ્કાર પામે છે. દંભથી ધર્મભ્રષ્ટ થાય છે. [૬૩] મને મોહસ્ય માહારૂં રીક્ષાં માનવીરૂપ । दम्भेन यद्विलुम्पन्ति कज्जलेनेव रुपकम् ॥ १० ॥ મૂલાર્થ : અહો મોહનું કેવું માહાત્મ્ય છે ? કે જેથી કાજળ વડે ચિત્રની જેમ દંભવડે ભગવતી દીક્ષાને તે નષ્ટ કરે છે. ભાવાર્થ : અહો ! મોહનીયનો પ્રભાવ તો જુઓ ! જિનાજ્ઞાયુક્ત Jain Education International ૩૮ : અધ્યાત્મસાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy