________________
અમે જાણી તેનો ત્યાગ કરવો. [५६] दम्भेन व्रतमास्थाय यो वाञ्छति परं पदम् ।
लोहनावं समारुह्य सोऽब्धेः पारं यियासति ॥ ३ ॥ મૂલાર્થ : જે માણસ દંભ વડે દીક્ષા ગ્રહણ કરીને મોક્ષફળની ઇચ્છા રાખે છે, તે લોઢાના વહાણમાં બેસી સમુદ્રને પાર કરવા ઇચ્છે છે.
ભાવાર્થ : પોતાના દોષને ઢાંકવાની વૃત્તિથી દંભ વડે કેવળ ઉદરપોષણ માટે દીક્ષા જેવા વ્રતનો સ્વીકાર કરનાર સાધુ લાખ પ્રયત્નો કરે તો પણ મોક્ષને પામી શકતો નથી. જેમ લોઢાની ભારે નાવમાં બેસીને કોઈ અગાધ સમુદ્ર તરી જવા ઈચ્છે, તેવી દંભી મનુષ્યની મૂર્ખાઈ છે કે તે દંભસહિત વ્રતાદિની સફળતા ઇચ્છે છે. દંભરહિત જ માર્ગપ્રવેશની સફળતા છે. [५७] किं व्रतेन तपोभिर्वा दम्भश्चेत्र निराकृतः ।
किमादर्शन किं दीपैं-यद्यान्ध्यं न दशोर्गतम् ॥ ४ ॥ મૂલાર્થ : જો દંભનો ત્યાગ કર્યો ન હોય તો વ્રત કે તપ વડે કરીને પણ શું ફળ મળે ? વળી જો દૃષ્ટિનો અંધાપો નાશ ન પામ્યો હોય તેને દીવો શું સહાય કરે ! કંઈ જ નહિ.
ભાવાર્થ: જેનું હૃદય દંભરહિત નિર્મળ નથી. તેના કરેલા વ્રત-તપાદિનું કંઈ ફળ નથી, તેના દ્વારા કોઈ ગુણ પ્રાપ્ત થતો નથી. દંભ સહિત જો પર્વોના તપ કરે કે સંયમ લે તો પણ તેને કોઈ ગુણથી પ્રાપ્તિ થતી નથી..
જેમ જન્માંધને દર્પણ કે દીવા વડે કોઈ લાભ નથી તેમ છે ભાઈ ! તને દંભના અંધકાર સહિત વ્રતોનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. [ks] દેશનો વઘાશી - મિલાવર્તિવ્રતાદિનું !
दम्भेन दूष्यते सर्वं, त्रासेनेव महामणिः ॥ ५ ॥ મૂલાઈ : કેશલોચ, પૃથ્વીશયન, ભિક્ષા કે બ્રહ્મચર્યાદિ વ્રતો સર્વે ત્રાસ કરીને મહામણિની જેમ દંભને કારણે દૂષણ પામે છે.
૩૬ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org