________________
[४८] आयानाज्ञानबाहुल्या-मोक्षाबाधकबाधनम् ।
सद्मावाशयलेशेनोचितं जन्म, परे जगुः ॥ २४ ॥ મૂલાર્થઃ અજ્ઞાનની બહુલતાએ કરી વિષયકર્મથી મોક્ષને બાધ કરનારા રાગાદિક હાનિ પામ્યા નથી. વળી સંભાવના પરિણામવાળા તે જીવોનો પરિણામને યોગ્ય જન્મ થાય છે.
ભાવાર્થ : અગ્નિ પ્રવેશાદિ કરીને આયુષ્યને પૂર્ણ કરનાર જો કોઈ રાગના આવેશમાં કે દુઃખના દ્વેષમાં સ્વયં મરણને શરણ થાય છે, તો કર્મના ક્ષયરૂપી મોક્ષનો સંભવ નથી. પરંતુ વૈરાગ્યાદિ ભાવથી, અન્ય જીવોના હિતના સભાવથી સ્વયં મૃત્યુને વરે તો તેમાં કંઈ પણ શુભભાવનો અંશ હોવાથી તેમનો શુભાયું કે શુભ ગતિવાળો જન્મ થાય છે. [४९] द्वितीयादोषहानिः स्यात्काचिन्मण्डूकचूर्णवत् ।
आत्यन्तिकी तृतीयात्तु गुरुलाधवचिन्तया ॥ २५ ॥ મૂલાર્થ ઃ બીજા કર્મથી મંડૂકના ચૂર્ણની જેમ દોષની હાનિ થાય છે, અને ત્રીજા કર્મમાં તો ગુરુલાઘવની ચિંતાએ કરી દોષની અત્યંત હાનિ થાય છે.
ભાવાર્થ : બીજા આત્મકર્મનું પરિણામ એ આવે છે કે જેમ ઉનાળો આવતાં દેડકાંઓ મરણ પામે છે, તેમના કલેવરો સુકાઈને ચૂર્ણ બને છે. પણ વળી વર્ષા થતાં તેમાંથી અસંખ્ય દેડકાંઓ પેદા થાય છે. તેમ યમ-નિયમાદિ વડે રાગાદિકને કંઈક મંદ કર્યા હોય, પરંતુ નવા કર્મના ઉપાર્જન વડે રાજાદિપણું પામે, પરંતુ ત્યાં સુખભોગની મમતા અને અહંતા વડે કરી ઘણા દોષોની વૃદ્ધિ થાય
- ત્રીજું કર્મ : ગુણની વૃદ્ધિ-(ગુરુતા) અને દોષની હાનિ (લાઘવતા) કરે છે. ગુણવૃદ્ધિ અને દોષની હાનિ થાય તેવા ઉચિત ધર્મને આચરે છે, આવી જાગૃતિને કારણે તે માર્ગના બીજનું (પાત્રતાનું) કથંચિત આરોપણ કરે છે.
ગુરુ શિષ્ય સંવાદ : ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org