________________
[૪૪] અશુદ્ઘાડનારેઽગ્યાસા-યોનો દર્શનાપિ |
સિદ્ધયેત્રિસર્જળ મુત્ત્વા, તવધ્યાભ્યાસિò યતઃ | ૨૦ || મૂલાથું ઃ અશુદ્ધ મિથ્યાર્દષ્ટિનો અનાદર કરવાથી, અભ્યાસની અપ્રાપ્તિને લીધે માત્ર એક સ્વાભાવિક સમક્તિને છોડીને બીજા દર્શનાદિક પણ સિદ્ધ થશે નહિ, અન્ય દર્શનાદિક પણ અભ્યાસે સિદ્ધ થાય છે.
ભાવાર્થ : અશુદ્ધ મિથ્યા દૃષ્ટિ આદિનો અનાદર કરીને તેમને વ્રતાદિમાં અપાત્ર માનીને તેમને અભ્યાસથી વંચિત રાખવાથી ધર્મમાર્ગની ક્રિયાઓનો પણ લોપ થશે. એના પરિણામે ગુરુના બોધથી રહિત થયેલા નૈસર્ગ સમક્તિને છોડીને બીજા અન્ય દર્શનાદિક કે નિમિત્તાધીન થતાં સમક્તિની પણ સિદ્ધિ થશે નહિ, અધિગમ (નિમિત્તાધીન) સમક્તિ પણ જીવને પૂર્વ પૂર્વના અભ્યાસથી જ થાય છે. માટે સમક્તિની પાત્રતા રહિત જીવોને અભ્યાસ માટે ચારિત્ર ઇષ્ટ છે.
[४५] शुद्धमार्गानुरागेणाशठानां या तु शुद्धता ।
गुणवत्परतन्त्राणां सा न क्वापि विहन्यते ॥ २१ ॥ મૂલાર્થ : શુદ્ધ માર્ગના અનુરાગે કરીને શઠતા રહિત અને ગુણવાનને આધીન રહેલા મનુષ્યોની જે શુદ્ધતા તે કોઈ પણ ઠેકાણે હણાતી નથી.
ભાવાર્થ : સર્વજ્ઞ પ્રરૂપિત શુદ્ધ માર્ગને વિષે જેનો અનુરાગ હોવાથી તે માયારહિત છે. વળી ગુણાનને-બહુશ્રુતને આધીન થયેલા માર્ગને અનુસરતા મનુષ્યો, જેમના કષાયાદિ મંદતા પામ્યા છે, જેમની વૃત્તિ નિર્મળ છે. તે કોઈ પણ દર્શનનો યોગ પામ્યા હોય તો પણ તેમની વૃત્તિ હણાતી નથી, પ્રતિબંધ પામતી નથી. તો પછી જિનમતમાં શ્રદ્ધાવાન ધર્મપ્રિય મનુષ્યની શુદ્ધતા હણાતી જ નથી.
[૪૬] વિષયાત્માનુંવન્યહિ, ત્રિયા શુદ્ધ થોત્તમ્ । ધ્રુવતું વર્ષ, તત્રાર્થ, મુર્થ પતનાપિ ॥ ૨૨ ॥
ગુરુ શિષ્ય સંવાદ : ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org