SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ અદ્વિતીય ભાવના દર્શનોની કથા સર્વનયોને મૂલાર્થ : ઉષ્મા (ધામ) સૂર્યને દૂર કરી શકતો નથી, અગ્નિના કણિયાનો સમૂહ અગ્નિને દૂર કરી શકતો નથી, નદીના જળનું પૂર સમુદ્રને દૂર કરી શકતું નથી, તથા સન્મુખ પડતો પાષાણ મેરૂ પર્વતને હઠાવી શકતો નથી, તે જ પ્રમાણે સર્વ નયોના અદ્વિતીય ભાવના ગૌરવવાળા સ્થાનરૂપ જિનેન્દ્રના આગમને તેના અંશની રચનારૂપે તે તે દર્શનોની કથા પરાભવ કરવા સમર્થ નથી. ભાવાર્થ ઃ આમ ઉપરની ઉપમાઓ વડે સર્વનયોને સમન્વય કરનારાં જિનાગમોનો, તે તે દર્શનો પરાભવ કરી શકે તેમ નથી. [८८१] दुःसाध्यं परवादिनां परमत क्षेपं विना स्वं मतम् । तत्क्षेपे च कषायपङ्कललुषं, चेतः समापद्यते ॥ सोऽयं निःस्वनिधिग्रहव्यवसितः, वेतालकोपक्रमः । नायं सर्वहितावहे जिनमते तत्वप्रसिद्धयर्थिनाम् ॥ ८ ॥ મૂલાર્થ : અન્ય ધર્મીઓને પર મતનો તિરસ્કાર કર્યા વિના પોતાનો મત સાધવો દુષ્કર છે, અને તે તિરસ્કાર કરવાથી મિત્ત કષાયરૂપી પકે કરીને કલુષ (મલિન) થાય છે. તે આ નિર્ધનના નિધાનને ગ્રહણ કરવામાં ઉદ્યમવંત થયેલો વેતાલના કોપનો વેગ છે, અને તે વેગ તત્ત્વજ્ઞાનના અર્થીઓને સર્વને હિતકર એવા જિનાગમને વિષે નથી. ભાવાર્થ : અન્ય દર્શનોના મતનો તિરસ્કાર કરવો કે નિંદા કરવી તે તો મનને કષાયરૂપી કાદવ વડે મલિન કરવા જેવું છે. પરંતુ જિનાગમ તો પારમાર્થિક જ્ઞાનના પ્રયોજનવાળું છે, સર્વના હિતને જાણનારું છે, તેથી અન્ય મતનો તિરસ્કાર ન કરતાં, તે તે દર્શનોને અલગ અલગ ન દ્વારા સમન્વય કર્યો છે. અને તેમના માહાભ્યનો પણ વિસ્તાર કર્યો છે. [૨] વાર્તા સત્તિ સહસ્ત્રશઃ પ્રતિમત, જ્ઞાનાંશવમ | चेतस्तासु न नः प्रयाति नितमां, लीनं जिनेन्द्रागमे ॥ नोत्सर्पन्ति लताः कति प्रतिदिशं, पुष्पैः पवित्रा मधौ । ताभ्यो नैति रतिं रसालकलिकारक्तस्तु पुंस्कोकिलः ॥ ९ ॥ ૪૨૨ : અધ્યાત્મસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy