________________
મૂલાર્થ : આ પ્રમાણે વિચક્ષણ પુરુષે નવ તત્ત્વો થકી અન્વય અને વ્યતિરેક વડે કરીને આત્મહત્ત્વનો નિશ્ચય કરવો.
ભાવાર્થ : અર્થાત્ વિચારવાન પુરુષે તો શુદ્ધનયથી અજવાદિ તત્ત્વોથી આત્માને (વ્યતિરેક) ભિન્ન જાણવો અને વ્યવહાર નયાદિથી આત્માને સ્વસ્વરૂપે અભેદ (અન્વય) સ્વીકારવો. પરંતુ કોઈ એક નય દ્વારા તત્ત્વને જાણવામાં ભ્રાંતિ પેદા થાય છે. તત્ત્વોનો સ્વરૂપ અપેક્ષિત છે. [૬૪] સુરં દિ પરમાત્મમમૃતં દ્વટ કવ ર !
રૂઢ દિ પરમં જ્ઞાન યોગનોડાં પરમ: મૃતઃ |૧૨9 મે મૂલાર્થ: આ ઉત્કૃષ્ટ અધ્યાત્મ છે, આ જ અમૃત છે, આ જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે, અને આ જ પરમયોગ છે.
ભાવાર્થ : આ પ્રમાણે આત્માની યથાર્થ ભેદભેદ અવસ્થા વડે આત્મતત્ત્વનો નિર્ણય કરવો તે સર્વોત્કૃષ્ટ અધ્યાત્મ છે. તે સકળ કર્મરૂપી રોગનો સર્વથા નાશ કરનાર હોવાથી અમૃત છે અને એવો બોધ તે પ્રકૃષ્ટ જ્ઞાન છે, તે સર્વમાં પ્રધાત યોગ છે, એટલે તે મોક્ષનો સાચો ઉપાય છે. ' [૬૨] ગુહામુતિ તત્તમૈસૂક્ષ્મનયાતિમ્ |
ર ાં સ્વયુદ્ધીનાં તે તસ્ય વિડનઃ | ૧૨૨ / મૂલાર્થ: આ ગુહ્યથી પણ ગુહ્ય એવું તત્ત્વ સૂક્ષ્મ નયને આશ્રિત છે, તેથી અલ્પ બુદ્ધિવાળાને આ તત્ત્વ આપવા યોગ્ય નથી. કારણ કે તેઓ આ તત્ત્વની વિડંબના કરનારા છે.
ભાવાર્થ : આ આત્મનિશ્ચય અત્યંત ગૂઢ રહસ્યવાળું છે. સૂક્ષ્મ વિચારણાએ ગુરુગને જાણવા યોગ્ય છે. તેથી અલ્પજ્ઞજનોને આપવા જેવું નથી. કારણ કે તેઓ સમજણના અભાવે આ રહસ્ય પ્રત્યે અભાવ કરનારા થાય છે. અથવા સ્વછંદી થાય છે. અને માર્ગને અનુસરતા ધર્મો આદિ ચૂકી જાય છે. [૭૦] બનાનામકૂપવુદ્ધીનાં નૈતત્તતં હિતાવહ છે
निर्बलानां क्षुधार्तानां भोजनं चक्रिणो यथा ॥ १९३ ॥
૪૧૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org