SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ : ચારિત્રાદિક ગુણો પણ મોક્ષાદિકની અભિલાષાવાળા હોવાથી, તપ પણ શુભાશ્રવને કારણે શુભકર્મને ગ્રહણ કારણમાં કાર્યને જણાવી વ્યવહાર નયવાળા સંવરનું કાર્ય જે મોક્ષ પ્રાપ્ત થાય છે તેમ કહે છે. પ્રશસ્ત રાગવાળા હોવાથી વિગેરે વ્યવહાર ધર્મો કરવાવાળા છે. તેના [૬૨૨] મનિર્વાહેતુનાં વસ્તુતો ન વિપર્યયઃ ।। अज्ञानादेव तद्भानं ज्ञानी तत्र न मुह्यति ॥ १४५ ॥ મૂલાર્થ : વાસ્તવિક રીતે સંસાર અને મોક્ષના હેતુઓનો વિપર્યાસ થતો નથી. છતાં તેનું (ભાન) જ્ઞાન અજ્ઞાનથી જ થાય છે. તેમાં જ્ઞાની મૂંઝાતો નથી. ભાવાર્થ : વાસ્તવિક રીતે જે સંસારના હેતુ હોય તે સંસારના અને મોક્ષના હેતુ હોય તે મોક્ષના હેતુ બને. આથી શુભાશ્રવથી જે મોક્ષરૂપ ફળનું જે જ્ઞાન થાય છે, તે વસ્તુનો બોધ ન હોવાથી અજ્ઞાનથી જ થાય છે. વિપર્યાસ બુદ્ધિ દ્વારા થાય છે. તેમાં જ્ઞાની મુંઝાતા નથી. મોક્ષના પ્રયોજનભૂત કારણોને જ્ઞાની જાણતા હોય છે. [૨૩] તીર્થન્નમહેતુત્વ યતુ સમ્યવત્વસ્ય વર્ગત । यच्चाहारकहेतुत्वं संयमस्यातिशायिनः ॥ १४६ ॥ [૨૪] તપઃ સંયમોઃ સ્વતંતુત્વ યચ પૂર્વયોઃ । उपचारेण तयुक्तं स्यादुघृतं दहतीतिवत् ॥ १४७ ॥ મૂલાર્થ : સમકિતને જે તીર્થંક૨ નામકર્મનો હેતુ કહેવામાં આવે છે, અતિ ઉત્કૃષ્ટ એવા સંયમને જે આહારકનું હેતુપણું, તથા પ્રકારના તપ અને સંયમને જે સ્વર્ગનું હેતુપણું કહેવામાં આવે છે, તે જેમ ‘ઘી બળે છે.' કહેવું તે ઉપચાર વડે યુક્ત છે. ભાવાર્થ : તીર્થંકર નામકર્મનાં ઉપાર્જનમાં જેમ સમક્તિનું કારણ મુખ્ય કહેવામાં આવે છે, આહારક શરીર રચવામાં જેમ ચૌદપૂર્વીનો સંયમ કારણ મનાય છે. તથા તપ અને ચારિત્રને સ્વર્ગનું કારણ કહેવામાં આવે છે, તે સર્વ ઉપચાર વડે કહેવું સંગત છે, જેપ Jain Education International ૩૯૮ : અધ્યાત્મસાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy