SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચયનયથી તેમને સંવર કહ્યા નથી. કારણ કે આ બાહ્ય સાધનો તો અભવ્યાદિ પણ સેવે છે, છતાં તેમનો મોક્ષ થતો નથી. [૧૨] વિશિરા વાવનુસ્વાન્તપુરનાસ્તિકત્તવિદાઃ | ये तु ज्ञानादयो भावाः संवरत्वं प्रयान्ति ते ॥ १४२ ॥ મૂલાર્થ : જે વાણી શરીર અને મનના વિશિષ્ટ પુદ્ગલો છે. તે ફળને વહન કરનારા નથી. પણ જે આત્માના જ્ઞાનાદિક ભાવો છે, તે સંવરપણાને પામે છે. ભાવાર્થ: આત્માના જ્ઞાનાદિક ભાવો, ચૈતન્યનાં પરિણામો, સંવરપણાને પામે છે, તેથી કર્મનો વિરોધ થાય છે, પણ મનાદિયોગો કે જે પુદ્ગલ સ્વરૂપ છે, તેની બાહ્યક્રિયાથી સંવર થતો નથી. [૨૦] જ્ઞાનાદિમાવયુવતેષ ગુમયોગોખું તમતમ્ | સંવરä સમારોથ અને વ્યવહારિખઃ | 9૪રૂ છે. મૂલાઈ : જ્ઞાનાદિક પરિણામે કરીને યુક્ત એવા શુભયોગોને વિષે તેમાં રહેલા સંવરપણાનો આરોપ કરીને વ્યવહારને જાણનારા પુરુષો ગર્વવાળા થાય છે. ભાવાર્થ : સંવરતત્ત્વ વાસ્તવમાં આત્માના જ્ઞાનાદિ ભાવો છે. તેને વ્યવહારનયવાળા શુભયોગોમાં પ્રવૃત્ત વ્યાપારોમાં તેની ક્રિયામાં, જ્ઞાનાદિક ભાવનો – સંવરપણાનો આરોપ કરીને અમે ધર્મ કરીએ છીએ તેવો ગર્વ લે છે. નિશ્ચયનય કહે છે કે જો જ્ઞાનાદિભાવ યુક્ત બાહ્ય ક્રિયા સંવર બનતી હોય તો, અને તે સિવાય બાહ્યક્રિયા સંવર ન બનતી હોય તો જ્ઞાનાદિ ભાવોને જ સંવર માનો. [૨૧] પ્રશસ્તરીયુત્તેવું ચારિત્રાવિશ | शुभाश्रवत्वमारोप्य फलभेदं वदन्ति ते ॥ १४४ ॥ મૂલાર્થઃ પ્રશસ્ત રાગવડે યુક્ત એવા ચારિત્રાદિક ગુણોને વિષે પણ શુભ આશ્રવપણાનો આરોપ કરીને તેઓ ફળના ભેદ કહે આત્માશાનાધિકાર : ૩૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy