________________
પર્યાયો છે, તે આત્માને વિષે બંધ કે મોક્ષરૂપ કાર્ય કરનારા નથી. માટે આત્માના પોતાના શુભાશુભ પરિણામ સ્વરૂપ પર્યાયોને આશ્રવ સંવર કહેવા જોઈએ. [59] વ્યવહાવિખૂટતુ હેતૂસ્તાનેવે મને !
बाह्यक्रियारतस्वान्त-स्तत्त्वं गूढं न पश्यति ॥ १३७ ॥ મૂલાર્થ : નિશ્ચયનય કહે છે : વ્યવહારમાં મૂર્ખ એવો મનુષ્ય તે હિંસાદિકને જ હેતુરૂપ માને છે, અને બાહ્ય ક્રિયામાં જેનું મન આસક્ત છે, એવો તે મૂર્ખ ગૂઢ - ગુણતત્ત્વને જાણતો નથી.
ભાવાર્થ : જે પુરુષ વસ્તુના ગુપ્તતત્ત્વોને જાણતો નથી તેવો મૂર્ખ હિંસાદિને જ કે પરપ્રાણીઓની અવસ્થા ને જ બંધ મોક્ષના કારણભૂત માને છે. કારણ કે તે બાહ્ય પ્રવૃત્તિને વિષે જ આદર રાખે છે. [59] દૈતુર્ત પ્રતિપત્તેિ નૈતૈિsનિયમપૃશઃ |
પાવન આશ્રવાઃ પ્રવક્તાપ્તાવિત્ત હિ પરિશ્રવા ૧ રૂડ છે. મૂલાઈ : નિયમને સ્પર્શ કરતા ન હોવાથી આ હિંસાદિ હેતુપણાને પામતા નથી જ કેમ કે જેટલા આશ્રવો કહેલા છે, તેટલા જ સંવરો પણ કહેલા છે.
ભાવાર્થ : નિશ્ચયનય હિંસાનું થયું તે આશ્રવ અને અહિંસાનું થવું તે સંવર જ છે તેમ માનતા નથી. કેમ કે શ્રી આચારાંગ સૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે જેટલા આશ્રવના હેતુઓ કહ્યા છે તેટલા સંવરના હેતુઓ કહ્યા છે. અર્થાત્ જે આશ્રવો છે તે જ સંવરરૂપે પરિણમે છે. માટે વ્યવહારમૂઢ આત્માઓની બાહ્ય હિંસા-અહિંસાદિની ક્રિયાને આશ્રવ સંવરરૂપ માનવાતે તદ્દન ભ્રાંતિ છે. [૧૬] તસ્માનિયત છ વહ્યિદેતુષ સર્વથા |
નિયતી માવિત્રાવાત્મવાવસંવરી | ૨૨ મૂલાર્થ ? તેથી કરીને બાહ્ય હેતુઓને વિષે સર્વથા અનિયતપણું છે, અને ભાવના વિચિત્રપણાને લીધે આત્મા જ આશ્રવ અને સંવરરૂપ નિચે છે.
આત્માજ્ઞાનાધિકાર : ૩૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org