SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ પણ દ્રવ્યને પોતાના પર્યાયો હોય છે. સ્વ-પર ધર્મોનું અન્યોન્ય સમાન જાતીપણું હોતું નથી. [૭૭૭] નમીમાવાનાં ન ચેર્તા પર ગન ! તા હિંસાયિકાન-વ્યતિઃ / ૧૦૦ | મૂલાર્થ : જો અન્ય ભાવોનો કર્તા બીજો કોઈ ન હોય તો હિંસા, દયા, દાન અને હરણ વિગેરેની વ્યવસ્થા થશે નહીં. પર ભાવોને વિષે આત્માનું અકર્તાપણું માનો તો દયાદિક ધર્મનો વ્યવહાર કેવી રીતે થશે ? ભાવાર્થ જો આત્માને સ્વભાવથી વ્યતિરિક્ત પુદ્ગલ ભાવોની પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ ક્રિયા ન હોય તો જીવવધરૂપ હિંસા, જીવરક્ષણ રૂપ કરુણા, અન્નાદિનું દાન અને અન્યની વસ્તુનું હરણ, તથા સ્નાનાદિ ભાવોની – અવ્યવસ્થા થશે. એ સર્વ પ્રવૃત્તિ કેવી રીતે થશે ? [૭૭] સત્ય પરાશર્ય ન રાતિ, સ્થાપિ યદ્યપિ | तथापि स्वगतं कर्म स्वफलं नातिवर्तते ॥ १०१ ॥ મૂલાર્થ : તારું કહેવું સત્ય છે. જોકે પરના આશ્રયવાળું ફળ કોઈને થતું નથી. તો પણ પોતામાં રહેલું કર્મ પોતાના ફળને ઉલ્લંઘન કરતું નથી. ભાવાર્થ : એ વાત સાચી છે કે પરના આશ્રયે કરેલા કર્મનું ફળ સ્વાત્માને થતું નથી. વળી પર દ્રવ્યમાં થતી હિંસાદિનો આત્મા કર્તા થતો નથી. પરંતુ દાનાદિથી કે હિંસાદિથી થતા આત્મામાં શુભાશુભ પરિણામથી જે કર્મ ઉત્પન્ન થાય છે તે આત્માના આશ્રયવાળું હોવાથી તેનું ફળ આત્માને પ્રાપ્ત થાય છે. આથી ફળને આપવાની મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી. [७७९] हिनस्ति न पर कोऽपि निश्चयान च रक्षति । तदायुः कर्मणो नाशे, मृतिर्जीवनमन्यथा ॥ १०२ ॥ મૂલાઈ : નિશ્ચય થકી તો કોઈ કોઈને હણતું નથી. તથા રક્ષણ પણ કરતું નથી. પરંતુ તેના આયુષ્યકર્મનો નાશ થયે મરણ થાય આત્માણાનાધિકાર : ૩૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy