SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ 2 શબદના ઉલ્લેખ નથી. શા છે. કર્મ માપક ભાવન હોય છે. એ વચન મિથ્યા છે. તેમ આત્મા શુદ્ધ જ હોય છે, એ વચન મિથ્યા છે. એમ શબ્દનય કહે છે. ભાવાર્થ : જ્ઞાનના સામાન્ય અને વિશેષવાળા બે ઉપયોગ છે, તે શબ્દના ઉલ્લેખવાળા જ હોય એમ કહેવું તે મિથ્યા છે. સર્વ ઉપયોગ શ્રતવાન હોતા નથી. શબ્દ સહિત શ્રુત ઉપયોગ શ્રુતવાન હોય છે. તે પ્રમાણે સર્વ આત્મા શુદ્ધ છે. કર્મ મળ રહિત છે, એમ કહેવું મિથ્યા છે. શબ્દાદિનયો જેમાં બોધ થવા લાયક ભાવની પ્રધાનતા છે. તેઓ જીવસમૂહને વિષે ભેદ માનનારા છે. તેથી સર્વ જીવને કેવળ શુદ્ધ કહેવા કે કેવળ અશુદ્ધ કહેવા તે મિથ્યા છે એમ કહે છે. [૭૬૨] શુદ્ધપર્યાયતંત્નિ વાવ | प्रथमाऽप्रथमत्वादिभेदोऽप्येवं हि तात्त्विकः ॥ ८६ ॥ મૂલાર્થ : જ્યારે આત્મા શુદ્ધ પર્યાયરૂપ છતાં પોતાના સ્વભાવને પ્રગટ કરનાર થાય છે. ત્યારે આત્મા શુદ્ધ છે. એ પ્રમાણે પ્રધાનપણું અને અપ્રધાનપણું વિગેરે ભેદ પણ પારમાર્થિક થાય છે. ભાવાર્થ ? આત્મા જે સમયે શુદ્ધ થાય છે, કે જે સમયે જ્ઞાનાદિક પવિત્ર પર્યાય વડે પોતાના સ્વરૂપને પ્રગટ કરનારો થાય છે, તે તેનું પરમાત્મસ્વરૂપે પ્રધાનપણું છે, અને સ્વરૂપને પ્રગટ કરતો નથી ત્યારે સ્વરૂપ નથી તેમ નથી, પણ ત્યાં પરમાત્માપણાનું ગૌણ અર્થાત્ અપ્રધાનપણું છે. આમ પરમાત્મા અને અપરમાત્માપણું વિગેરે ભેદો પણ પ્રધાન અને ગૌણના આશ્રિત હોવાથી વાસ્તવિક [७६४] ये तु दिक्पटदेशीयाः शुद्धद्रव्यतयाऽऽत्मनः । ___ शुद्धस्वभावकर्तृत्वं जगुस्तेऽपूर्वबुद्धयः॥ ८७ ॥ મૂલાર્થઃ દિગંબર જેવા જેઓ શુદ્ધ દ્રવ્યપણાએ કરીને આત્માને શુદ્ધ સ્વભાવનું કર્તાપણું કહે છે, તેઓ અપૂર્વ (અપૂર્ણ) બુદ્ધિવાળા જાણવા. ભાવાર્થ : દિગંબર જેવા કે જે શુદ્ધ દ્રવ્યપણાએ કરીને આત્માને આત્મજ્ઞાનાધિકાર : ૩૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy