________________
મૂલાર્થ: રુધિરનું પાન કરવાથી સુખ માનનારી જળોની જેમ વિષયોને ભોગવનારા મનુષ્યો છેવટે અત્યંત ભયંકર દશાને પામે
- ભાવાર્થ ઃ બીજું દૃષ્ટાંત. જળો નામનું પ્રાણી મનુષ્યના વિકારી રુધિરનું પાન કરી પુષ્ટ થઈ આનંદ માને છે. પરંતુ રુધિરને કાઢવા
જ્યારે તેને નીચોવે છે, ત્યારે મહાદુઃખ પામે છે, તેમ નરેન્દ્ર અને સુરેન્દ્ર શબ્દાદિક વિષયોના સુખને ભોગવી પોતાને સુખી માને છે, પરંતુ અંતે તેઓ ભયંકર દુઃખ પામે છે. આથી પુણ્યનું ફળ એકાંતે સુખ કેમ માની શકાય ? [७४४] तीव्राग्निसङ्गसंशुष्यत् पयसामयसामिव ।
___ यत्रौत्सुक्यात्सदाऽक्षाणां तप्तता तत्र किं सुखम् ॥ ६७ ॥
મૂલાર્થઃ તાપથી દુઃખ : તીવ્ર અગ્નિના સંયોગથી જેનું જળ સુકાયું છે એવા લોઢાની જેમ જે વિષયસુખને સર્વદા ઉત્સુકપણાને લીધે સંતHપણું જ રહે છે, ત્યાં સુખ ક્યાંથી હોય ?
ભાવાર્થ : જેમ તીવ્ર અગ્નિના સંગથી તપીને લાલચોળ થયેલું લોઢું પાણીના ટીંપાને શોષીને એવું ને એવું તપ્ત જ રહે છે. તેમ પુણ્યના યોગે વિષયોની ભોગના તીવ્રતામાં ઈન્દ્રિયોને થોડું સુખ મળે છે તો ક્યાંય શોષાઈ જાય છે. અને પેલી ભોગવૃત્તિનો તાપ તો એવો ને એવો જ રહે છે. ભોગ ભોગવવા છતાં ઇન્દ્રિયો તો અતૃપ્ત રહે છે, તેને સુખ તો મળતું જ નથી. [७४५] प्राकूपश्चाचारतिस्पर्शात्पुटपाकमुपेयुषि ।।
ક્રિયામાં અને તાપથા૫ વ ને નિવૃતિઃ | ૬ || મૂલાર્થ : પ્રથમ અને પછી પણ સંતાપ ઉત્પન્ન થવાથી પુટપાકને પામતી ઇન્દ્રિયોના સમૂહને વિષે સંતાપનો જ પ્રચાર થાય છે પણ સુખ થતું નથી.
ભાવાર્થ : પુટપાક : ઔષધિ દ્વારા ચારે બાજુથી દાહ આપવો. વિષયસુખની પહેલા ભોગને મેળવવા પરિશ્રમ કરીને જ દેહને ખેદવડે સંતાપ પેદા થાય છે. અને વિષયસુખ ભોગવાઈ ગયા પછી
આત્માજ્ઞાનાધિકાર : ૩૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org