SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પર્શદિને ગ્રહણ કરતો નથી, કે તે રૂપે પરિણમતો નથી. [૬૧૭] યથા તેિિરશ્ચન્દ્ર-મધ્યે મતે દ્વિધા । અનિશ્ચયતોન્માન-સ્તથાઽત્માનમનેધા || ૨૦ || મૂલાર્થ : જેમ નેત્રરોગવાળો મનુષ્ય એક ચંદ્રને પણ બે પ્રકારે જાણે છે. તેમ નિશ્ચયના અજ્ઞાને કરેલા ઉન્માદવાળો પુરુષ એક આત્માને અનેક પ્રકારનો માને છે. : ભાવાર્થ : શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે આત્માના એકત્વનું નિરૂપણ કરે છે. આકાશમાં ચંદ્ર એક જ છતાં નેત્રરોગવાળો બે ચંદ્રને જુએ છે. તેમ આત્માના શુદ્ધ સ્વરૂપને નહીં જાણતો, જ્ઞાનને વિષે યથાર્થ નિશ્ચય થયો નથી તેવો ઉન્માદવાળો પુરુષ આત્મા ચૈતન્ય-લક્ષણે એક છતાં જુદીજુદી અવસ્થાઓના ભેદે તેને અનેક પ્રકારનો માને .62 [ ६९८ ] यथानुभूयते ह्येके स्वरुपास्तित्वमन्वयात् । सादृश्यास्तित्वमप्येक-मविरुद्धं तथाऽऽत्मनः ॥ २१ ॥ મૂલાર્થ : જેમ અન્વયથી આત્માના સ્વરૂપનું અસ્તિત્વ એક જ અનુભવાય છે, તેમ આત્માનું આ દૃશ્ય અસ્તિત્વ પણ એક જ છે. તેમાં કંઈ વિરોધ નથી. ભાવાર્થ : વ્યવહારથી પણ આત્માની જુદી જુદી અવસ્થાઓ થવા છતાં આત્મા એનો એ જ રહે છે, દેવરાજની બાલ્ય, કુમાર અને વૃદ્ધાવસ્થાની અવસ્થાઓ બદલાવાથી છતાં દેવરાજ એનો એ જ રહે છે. આ બધી જ અવસ્થામાં આત્માનો સંબંધ હોવાથી સ્વરૂપનું અસ્તિત્વ એક જ અનુભવાય છે. તેમ સર્વ આત્મામાં ચૈતન્યત્વ આત્મત્વનો સંબંધ એક હોવાથી તે બધાયનું અસ્તિત્વ એક જ છે, તેમ કહેવું અદ્ભૂષિત છે. [६९९] सदसद्वादपिशुनात् सङ्गाप्य व्यवहारतः । दर्शयत्येकतारत्नं सतां शुद्धनयः सृहृत् ॥ २२ ॥ મૂલાર્થ : શુદ્ધ નયરૂપી મિત્ર સ્યાદ્વાદને જણાવનારા વ્યવહારથી રક્ષણ કરીને સત્પુરુષોને એકતારૂપ રત્ન દેખાડે છે. Jain Education International ૩૪૮ : અધ્યાત્મસાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy