SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલાર્થઃ જે રસ ધ્યાનથી ઉત્પન્ન થયેલી વૃતિને વિષે પ્રસિદ્ધ છે. તે કોઈ અલૌકિક રસને મનસ્વી પુરુષો જ જાણે છે. તેવો રસ દ્રાક્ષ કે સાકરને વિષે અમૃતને વિષે કે સ્ત્રીના અધરને વિષે ક્યાંય નથી. ભાવાર્થ: બાનને વિષે ઉત્પન્ન થયેલી વિશિષ્ટ બુદ્ધિ કે નિશ્ચળતામાં જ રસ છે તે અલૌકિક છે, તેને પ્રશસ્ત મનવાળા જ્ઞાની જ પામી શકે. એવો અલૌકિક રસ દ્રાક્ષ કે સાકરમાં હોવા સંભવ નથી. ભોગી પુરુષ ધ્યાનના એ રસને પ્રાપ્ત કરી શકતો નથી. [૭૭] રૂચ મનસા પરિપત્ર -ધ્યાનસન્મત્તે રિમાનું ! तत्र यस्य रतिरेनमुपैति, प्रौढधामभृतमाशु यशःश्रीः ॥ १४ ॥ મૂલાર્થ : આ પ્રમાણે પરિપક્વ ધ્યાનથી ઉત્પન્ન થયેલા ફળને વિષે ગરિષ્ઠપણાને મન વડે જાણીને જે મુનિની તે ધ્યાનને વિષે પ્રીતિ થાય છે, તે પ્રૌઢ તેજ યુક્ત મુનિને તત્કાળ યશલક્ષ્મી ભજે ભાવાર્થ : ધ્યાનની પૂર્ણ અવસ્થામાં ઉત્પન્ન થયેલ કાર્યસિદ્ધિની ઉત્તમતા જાણીને મુનિને ધ્યાનમાં પ્રગતિ થાય છે. તેવા ધ્યાનમાં પ્રસન્ન ચિત્તવાળા મહાન જ્ઞાનયુક્ત મુનિને મોક્ષરૂપી લક્ષ્મી તત્કાળ પ્રાપ્ત થાય છે. અર્થાતુ ધ્યાન મોક્ષનું ચરમ સાધન છે, માટે ગૃહસ્થ કે શ્રમણ સૌએ પોતાની ભૂમિકા પ્રમાણે ધ્યાનમાર્ગનું આરાધન કરવું. [૭૪] થોડજ્ઞાત સિદ્ધાન્તવિશેષ માવા, સાહિત્યવિહિત પ્રવેશ: दुर्गे प्रबन्धे शर संमितेऽहं, चक्रे विवृत्तिं सुगुरोः प्रसादात् ॥ અંતમાં ગ્રંથકાર કહે છે કે મેં સિદ્ધાંતનાં વિશેષ રહસ્યો-પદાર્થો જાણ્યા નથી. અને સાહિત્ય કે તર્કશાસ્ત્રમાં જેનો પ્રવેશ થયો નથી. એવા માત્ર ગુરુકૃપા વડે આ દુર્ગમ પાંચમા પ્રબંધનું વિવરણ કર્યું હતું. ધ્યાનસ્તુતિ અધિકાર પૂર્ણ ધ્યાનસ્તુતિ ઃ ૩૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy