SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ [૬૬] રક્તનતિશ પ્રબંધ પમો અધિકાર ૧૭મો ધ્યાનસ્તુતિ [६६४] यत्र गच्छति परं परिपाकं, पाकशासनपदं तृणकल्पम् । स्वप्रकाशसुखबोधमयंतत्, ध्यानमेव भवनाशि भजध्वम्॥१॥ મૂલાર્થ : જે પ્રકૃષ્ટ પરિપાકને પામે છતે, ઈન્દ્રનું પદ તૃણ સમાન લાગે છે, તે આત્મપ્રકાશરૂપ સુખના બોધમય અને ભવ ભ્રમણને નાશ કરનારા ધ્યાનને ભજો. ભાવાર્થ: હે મુનિ, જ્યારે આ ધ્યાનયોગ પ્રકૃષ્ટ બને છે ત્યારે ઇન્દ્રના સુખ પણ જીવને તૃણ જેવા લાગે છે, તે ધ્યાનયોગ સ્વપ્રકાશિત અને સુખમય છે, બોધદાયક અને દુઃખભંજક છે, તેનું તમે ધ્યાન કરો. [६६५] आतुरैरपि जडैरपि साक्षात्, सुत्यजा हि विषया न तु रागः। ___ध्यानवाँस्तु परमद्युतिदर्शी, तृप्तिमाप्य न तमृच्छति भूयः॥२॥ મૂલાર્થ : આતુર તથા જડ પુરુષોને વિષયો સાક્ષાત્ ત્યજી શકાય તેવા છે. પરંતુ રાગ ત્યજી શકાય તેવો નથી. પરમ શ્રુતિને જોનાર ધ્યાની તો વૃદ્ધિ પામીને પછી તે રાગનો ફરીથી સ્વીકાર કરતા નથી. ભાવાર્થ : આસક્ત અને અબોધ પુરુષો કદાચ વિષયોને છોડશે પણ રાગને નહીં છોડે. આ સમગ્ર સૃષ્ટિમાં પરમાત્મપ્રકાશનો દેખા ધ્યાનયોગી જ અત્યંત તૃપ્ત થયેલો હોવાથી રાગનો સ્વીકાર કરતો નથી. [६६६] या निशा सकलभूतगणानां, ध्यानिनो दिनमहोत्सव एषः। ___ यत्र जाग्रति च तेऽभिनिविष्टा, ध्यानिनो भवति तत्र सुषुप्तिः॥३॥ મૂલાર્થ : સમગ્ર પ્રાણીસમૂહની જે રાત્રી છે, તે ધ્યાનીને દિવસ સંબંધી મહા ઉત્સવ છે, તથા જેને વિષે અભિનિવેશવાળા તેઓ જાગૃત રહે છે ત્યાં ધ્યાની પુરુષો સૂઈ રહે છે. ભાવાર્થ : સંસારી જીવોને આધ્યાત્મિક કે તત્ત્વષ્ટિ પ્રાપ્ત થઈ નથી તેઓને માટે જીવન અંધકારમય રાત્રી સમાન છે, અથવા વિષયો સાથે ૩૨૮ : અધ્યાત્મસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy