SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ : ધર્મધ્યાનમાં ઉપયુક્ત થયેલા યોગીને ચાર પ્રકારે ધ્યાન કહ્યું છે. આજ્ઞાવિચય જિનેશ્વરની આગમરૂપી વાણીને વિષે નિર્ણય થઈ તેની આજ્ઞામાં વૃદ્ધિ થાય. જિનાજ્ઞાની મુખ્યતાથી આચાર કરે. અપાય વિચય: જ્ઞાનાદિકના નાશ થવાના કારણરૂપ રાગાદિના દોષનો વિચાર કરવો, તથા પાપાચારનો વિચાર કરી તેને દૂર કરવા પ્રયત્ન કરવો. વિપાક વિચય: કર્મના ઉદયથી ચારે ગતિમાં પ્રાપ્ત દુઃખનો વિચાર કરવો. લોક સંસ્થાન : લોકના આકારનું અને તેમાં થતા જીવના પરિભ્રમણનો વિચાર કરવો. [૬૩] નામનાઢયાં હેતૂવાહરણનિતામ્ | आज्ञां ध्यायेजिनेन्द्राणामप्रामाण्याकलङ्किताम् ॥ ३६ ॥ મૂલાર્થ : નય ભંગ અને પ્રમાણે કરીને વ્યાપ્ત, હેતુ તથા ઉદાહરણ વડે યુક્ત અને અપ્રમાણે કરીને કલંકિત થયેલી નહીં. એવી જિનેશ્વરની આજ્ઞાનું આરાધન કહ્યું. ચારે પ્રકારનો વિસ્તાર કરે છે. ભાવાર્થ : આજ્ઞાવિચય, હે ભવ્ય ! જિનેશ્વરની આજ્ઞા એટલે નૈગમ વિગેરે નય તથા પ્રમાણ એટલે યથાર્થપણે પદાર્થના સમૂહને જાણવા. તે પ્રમાણે કરવાથી અન્યદર્શની તેનું ખંડન કરી શકે નહીં. ' અર્થાતુ નયવડે નિપુણ અને કલંક વિનાની જિનવાણી છે. એમ એકાગ્ર ચિત્તે ચિંતવન કરવું. તે આજ્ઞાવિચયનો પ્રથમ ભેદ [૬૪] રાગદ્વેષથી વિપીડિતાનાં નમુખતાનું ! દિકામુખિસ્તસ્તૉત્રાનાપાયનિરિક્તતુ રૂ૭ | મૂલાર્થ રાગ, દ્વેષ અને કષાય વિગેરેથી પીડા પામેલા જીવોના આ લોક તથા પરલોક સંબંધી તે તે પ્રકારના વિવિધ કષ્ટોનો વિચાર કરવો. ધ્યાન સ્વરૂપ ઃ ૩૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy