________________
[૬૦] સ્થિરયોગાસ્ય તું અને વિશેષઃ વાનને ને !
તેન યત્ર સમાધાન સ દેશો થાયતો મતિઃ ર૭ | મૂલાર્થ : સ્થિર યોગવાળા યોગીને તો ગ્રામ, અરણ્ય કે ઉપવનને વિષે કંઈ પણ વિશેષ નથી, તેથી કરીને જ્યાં તેના મનનું સમાધાન રહે, તે જ પ્રદેશ બાનીને માટે યોગ્ય છે. - ભાવાર્થ : જેના ચિત્તની ચંચળતા શમી છે. તેવા સ્થિરતાના યોગવાળા યોગીને સ્થળ કે કાળનો ભેદ નથી પરંતુ તેથી ઓછી સ્થિતિવાળાએ તો અવશ્ય એકાંતમાં ધ્યાન કરવું. [૬૦] યત્ર વોસમાધાન તોડીઃ સ વ દિ
નિત્રિક્ષાલીનાં ધ્યાનિનો નિયમસ્તુ ન ૨ | મૂલાર્થ જે સમયે યોગનું સમાધાન થાય તે જ કાળ પણ ઈષ્ટ છે. ધ્યાનીને દિવસ, રાત્રિ, કે ક્ષણાદિકનો કંઈ પણ નિયમ નથી.
ભાવાર્થ : ધ્યાનીને કે જેને યોગ સમાધિ સહજ હોય તેને રાત્રિ દિવસ કે અમુક સમયનું ધ્યાન માટે બંધન નથી. પ્રારંભના સાધકને નિયમિત સમય જરૂરી છે. [૬ ૦૬] ચવાવસ્થા ગિતા ગાતુ ચહ્નિયાનોપઘાતિની !
તથા રાત્રિષો વસ્થિતો વા શરતોથવા II ૨૨ મૂલાર્થ : જે જીતેલી અવસ્થા (આસન) ધ્યાનનો ઉપઘાત કરનારી કદાચિત ન થાય, તે જ અવસ્થાએ કરીને બેઠેલા, ઉભેલા, અથવા સુતેલા યોગીએ ધ્યાન કરવું.
ભાવાર્થ : ધ્યાનીને જે કોઈ આસન સિદ્ધ થયું હોય, તેણે તેવી સાધ્ય અવસ્થામાં ધ્યાન કરવું. પદ્માસનથી કે શબાસનથી તેને તેનો ભેદ નથી. (સામાન્ય સાધકે વિવેક વાપરવો) [૬૭] સર્વાસુ મુનો શાનાવસ્થાનું વતનું |
प्राप्तास्तनियमो नाऽऽसां नियता योगसुस्थता ॥ ३० ॥ મૂલાર્થ : સર્વ દેશકાળ અને અવસ્થાને વિષે મુનિઓ કેવળ જ્ઞાન પામેલા છે, માટે તેના દેશકાળ આસનનો નિયમ નથી. પરંતુ યોગની સ્થિરતાનો માત્ર નિયમ છે.
૩૦૬ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org