________________
ભાવાર્થ ઃ ૧. હિંસાનુબંધી : અત્યંત કોપ વડે તથા નિર્દયપણે અન્યનો વધ કરવો કે તેના પર પ્રહાર કરવો, અગ્નિથી સળગાવવા. તેના આયોજન માટે એકાગ્ર ચિત્તે ચિંતવન કરવું તે રૌદ્રધ્યાન છે.
૨. મૃષાનુબંધી : માયા વડે અન્યના અછતા દોષોને પ્રગટ કરવા. સત્પરુષને વિષે અશોભનીય અસભ્ય વચન બોલવાં, મિથ્યા વસ્તુની પ્રરૂષણા કરવી, આવાં કૃત્યો માટે ચિંતન કરવું તે રૌદ્રધ્યાન
૩. તેયાનુબંધી : (ચોરી) પાપનું ફળ દુર્ગતિ છે, તે વચનથી પણ ભય નહીં પામતો. જે અન્યના આત્માને પીડા આપીને જે ધનનું હરણ કરે છે, તેથી ચોરી કરવાની મતિ, જેના વડે અન્ય જીવ દીર્ધકાળ સુધી દુઃખ અનુભવે છે.
૪. પરિગ્રહાનુબંધી : ધન વિગેરે પદાર્થોની પ્રાપ્તિ પહેલાં તે મેળવવાનું સતત ચિંતન અને મળ્યા પછી તેના રક્ષણ માટે ચિંતા વળી મિત્ર સ્વજનાદિ પ્રત્યે શંકાથી તેમના વિનાશની બુદ્ધિયુક્ત ચિત્ત (તેને વિષય સંરક્ષણ રૌદ્રધ્યાન કહે છે) [૨૦] તિત્સતોષકરણ - RTIનુમતિસ્થિતિ |
કેશવરતિપર્યન્ત રૌદ્રધ્યાન થતુર્વિઘણું છે 93 મૂલાર્થ : આ દોષવાળા કાર્યને કરવા, કરાવવા અને અનુમોદવારૂપ જેની સ્થિતિ છે, એવું ચાર પ્રકારનું રૌદ્રધ્યાન દેશવિરતિ ગુણસ્થાન સુધીના જીવોને હોય છે.
ભાવાર્થ : આ હિંસાયુક્ત ચારે રૌદ્રધ્યાન જીવ પોતે કરે છે, અન્યની પાસે કરાવે છે. અને કરતો હોય તો અનુમોદન આપે
જેમ કે મિત્ર કે સ્વજન કોઈ હિંસાનાં કાર્યો કરે, અસત્ય વચનથી લોકોને ઠગે, ચોરી કરે અને પરિગ્રહની વૃદ્ધિમાં જ રાચ્ચો રહે તો હોય તેને સ્વાર્થ કે લોભ વશ પોતે પોતાને માટે તો તેવું દોષયુક્ત આચરણ કરે, પણ અન્ય પાસે કરાવે, અને કંઈ જ મેળવવાનું ન હોય છતાં મોહવશ તેમાં અનુમોદન આપે કે
૩૦૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org