SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ આ ત્રણે કાળના પ્રકાર પ્રથમ આર્તધ્યાનના છે. તેમાં ષ ભાવની મુખ્યતા છે. ૨. રોગના સંયોગ વિયોગની ચિન્તા ઃ રોગથી ઉત્પન્ન થયેલી પીડામાં તેના પ્રતિકાર કરવા વ્યાકુળ થવું, તે રોગ ક્યારે દૂર થશે તેની વારંવાર ચિંતા કરવી, અને દૂર થયા પછી તે પુનઃ ન થાય તેની ચિંતા, વળી રોગ દૂર થયો તે સારું થયું તેવું વિચાર્યા કરવું. આમાં દ્વેષભાવની મુખ્યતા છે. ૩. ઇષ્ટ સંયોગ વિયોગ ચિંતા : પ્રાપ્ત થયેલા સુખદ વિષયોનો વિયોગ ન થાય તે ચિંતવવું તથા તે વિષયો પ્રાપ્ત કરવા પુનઃ પુનઃ સતત ઉદ્યમ કરવો જેમાં રાગભાવની મુખ્યતા છે. ૪. નિદાનચિંતા : તપ, સંયમરૂપ ઉત્તમ કાર્યના બદલામાં દેવેન્દ્રાદિકની રિદ્ધિ કે ભૌતિક સુખની પ્રાર્થના કે ઈચ્છા કરવી આ ચિંતામાં મોહભાવની મલિનતા છે. હવે આર્તધ્યાનમાં લેશ્યા બતાવે છે. [५८३] कापोतनीलकृष्णानां लेश्यानामत्र सम्भवः । अनतिक्लिष्टभावानां कर्मणां परिणामतः ॥ ६ ॥ મૂલાર્થ ? આ આર્તધ્યાનીને વિષે જેનો ભાવ અતિ કિલષ્ટ નથી, એવા કર્મના પરિણામને લીધે કાપોત, નીલ અને કૃષ્ણ લેશ્યાનો સંભવ છે. ભાવાર્થ : રૌદ્રધ્યાનની અપેક્ષાએ આર્તધ્યાનીના પરિણામ અતિ લેશવાળા તીવ્ર હોતા નથી. બંને ધ્યાનવાળાની લેગ્યા તો અશુભ જ છે. પરંતુ આર્તધ્યાનીની વેશ્યા તે અપેક્ષાએ મંદ પરિણામવાળી [५८४] क्रन्दनं रुदनं प्रोचैः शोचनं परिदेवनम् । ___ ताडनं लुञ्चनं चेति लिङ्गान्यस्य विदुर्बुधाः ॥ ७ ॥ મૂલાર્થ : કંદન, રૂદન, મોટેથી શોક પરિદેવન, તાડન અને લૂચન આ આર્તધ્યાનીના ચિન્હો છે. ભાવાર્થ : કંદન શોકાતુર થઈને અશ્રુપાત કરવો. ધ્યાન સ્વરૂપ : ૨૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy