SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષિમુનિઓ પણ અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસ વડે પુરાણા કુસંસ્કારોને છેદવા સમર્થ થયા છે. અહો ! આ કલિયુગમાં ભ્રમમાં પડેલા જીવોને દુઃખથી મુક્ત કરવામાં સાગર પાર કરવા માટે નાવ સમાન, અંધકારને દૂર કરવા માટે સૂર્યના પ્રકાશ સમાન, અરે રણભૂમિમાં ગ્રીષ્મ ઋતુકાળે શીતળ જળ સમાન આ અધ્યાત્મશાસ્ત્રો છે. માટે હે ભવ્યાત્માઓ ! દરિદ્રીને જેમ ધનની આવશ્યક્તા છે, તેમ તારા આત્મધનને સાચવવા માટે આ અધ્યાત્મશાસ્ત્રોનું સેવન કર. હે સંસારમાં મગ્ન જીવો ! તમે વિચાર કરો કે વિષયનું સુખ સેવનના કામે ક્ષીણ થતું જાય છે. આહારના પ્રથમ કોળિયા જેવો સ્વાદ અંતના કોળિયા સુધી ટકતો નથી. પરંતુ આ અધ્યાત્મશાસ્ત્રનું સેવન જેમ વૃદ્ધિ પામે છે તેમ આત્માના આનંદની વૃદ્ધિ થાય માટે સંસારના લોભામણા પ્રકારો અને પ્રસંગોથી દૂર રહી, સુખથી ભરપૂર શાંતિરસ પ્રતિપાદન, આનંદથી રસાયેલા અધ્યાત્મશાસ્ત્રોનું સેવન કરો. પ્રબન્ધ-૧ લો અધિકાર-૧ લો અધ્યાત્મશાસ્ત્ર મહિમા કરનારા રાજ કરનારાજ -:-: [७] शास्त्रात्परिचितां सम्यक्, सम्प्रदायाच्च धीमताम् । इहानुभवयोगाच्या प्रक्रियां कामपि ब्रुवे ॥ ७ ॥ મૂલાર્થ : આ ગ્રંથને વિષે શાસ્ત્રથી પંડિતોના સંપ્રદાયથી અને અનુભવના યોગથી સારી રીતે પરિચિત થયેલી કોઈક અનિર્વચનીય એવી પ્રક્રિયાને કહું છું. ભાવાર્થ : અહીં ગ્રંથકાર વિનયધર્મને સૂચવે છે કે પ્રથમ આ ગ્રંથ લખવામાં પરંપરાથી જે મહાનુભાવોએ તત્ત્વ પ્રગટ કર્યું છે, તેના આધારથી અને સ્વયં અનુભવ વડે વારંવાર જેનું સેવન થયું અધ્યાત્મશાસ્ત્ર મહિમા : ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy