________________
છતાં કષાયનો રસ મંદ છે, તેથી તે મિથ્યાષ્ટિ જેવું કર્મબંધન કરતા નથી.
ધર્મધ્યાનના અધિકારી પ્રાયે મુનિ છે. શુદ્ધ ક્રિયાવાળા અને ઉત્તમ ભાવના ભાવતા સાધકોને આ ધ્યાન હોય છે, જે શુકલધ્યાનનો હેતુ બને છે.
શુકલધ્યાન તો ગુણશ્રેણિ પર આરૂઢ થયેલા જીવોને હોય છે.
જેને મન અને ઇન્દ્રિયો વશ છે. જગતના પ્રકારો, પ્રપંચો અને પદાર્થોથી જે નિઃસ્પૃહ છે, તે આ ધર્મધ્યાનમાં પ્રવેશ કરે છે. એ ધર્મધ્યાનમાં પણ ચિંતનરૂપે વિવિધ વિષયોનું આલંબન હોય
અનિત્યાદિ બાર ભાવનાથી ભાવિત, મૈત્રી આદિ ચાર ભાવના જેને આત્મસાત્ થઈ છે. જ્ઞાનાદિ ભાવનાથી જેનું ચિત્ત શુદ્ધ થયું છે, તેવો સાધક ધર્મધ્યાનમાં સ્થિરતા પામે છે.
સંસારી જીવોને પૂર્વપ્રયોગના સંસ્કારથી આર્ત કે રૌદ્ર ધ્યાન શીખવું પડતું નથી. પરંતુ જીવ જ્યારે હળુકર્મી બને છે ભવભ્રમણનો કાળ જેનો સંક્ષેપ પામ્યો છે, જેનામાં શુભ કે અશુભ યોગમાં હર્ષ – વિષાદ થતા નથી, જે આત્મભાવથી સંતુષ્ટ છે તે ધર્મધ્યાનમાં પ્રવેશ કરે છે.
ધ્યાનયોગીને અસંગતા પ્રિય છે. એકાંતમાં તેમનું સ્થાન છે. અંતરંગમાં તૃપ્ત છે, તે ધર્મધ્યાનીનું સુખ અસીમ છે. તત્ત્વદૃષ્ટિ યુક્ત આ ધ્યાની આત્માને હસ્તામલકવતું જાણે છે.
આત્મા અને આત્મસ્વરૂપ, આત્મા અને પરમાત્માનો ભેદ ત્યાં સમાપ્ત થઈ જાય છે. અને ધ્યાની અમૃતને આસ્વાદી સ્વયં ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતાનો અનુભવ કરે છે. હે ભવ્યાત્માઓ ! આવું પરમ સુખ છોડી તમે શુદ્ર અને મલિન વાસનાઓમાં ક્યાં ફસાયા છો ? ઊઠો, જાગો. અને ધ્યાન દ્વારા આત્માને અમૃતનું પાન કરો ! યોગ્યતા પ્રમાણે ગુરુગમે ધ્યાન આરાધક થાઓ.
૨૯૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org