SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પના કરી છે, તે નિરર્થક છે, સત્પુરુષાર્થ વડે કર્મનો ક્ષય કરનાર, કર્મના ફળનો અકર્તા, આવા કોઈ પણ સ્વરૂપે જો તે શુદ્ધ સર્વજ્ઞ હોય તો સેવવા લાયક છે. [૬૬] વિશેષયાજ્ઞિાના િયુવતીનાં ગતિવિહિતિઃ | प्रायो विरोधतश्चैव फलाभेदाच्च भावतः ॥ ७१ ॥ મૂલાર્થ : જાતિવાદીની યુક્તિઓના વિશેષને નહીં જાણવાથી પ્રાય વિરોધ આવવાને લીધે તથા ભાવથી ફળનો અભેદ હોવાથી દર્શનોનો ભેદ થયેલો છે. ભાવાર્થ ઃ દર્શનોમાં ભેદ કેમ થયા ? સઘળા દાર્શનિકોને ઈશ્વરના વિશિષ્ટ શુદ્ધ સ્વરૂપના જ્ઞાનનો અભાવ હોવાથી, અને પોતે કલ્પેલા ઈશ્વરના સ્વરૂપમાં અનુમાનથી કરેલી યુક્તિઓ વિગેરેથી ભેદ પડે છે. સર્વજ્ઞનું જ્ઞાનપૂર્ણ છે. આથી એમ સમજાય છે કે સર્વજ્ઞની ભક્તિથી સાધ્યની સિદ્ધિ થાય છે, અને માર્ગની એકતા થાય છે. [५६६] अविद्याक्लेशकर्मादि यतश्च भवकारणम् । - તતઃ પ્રધાનમેવૈત-સંજ્ઞામેવમુપાતિકું ૭ર // મૂલાર્થ જેથી કરીને અવિદ્યા, કલેશ, કર્મ વિગેરે ભવના કારણ છે, તેથી કરીને સંજ્ઞા ભેદને પામેલું આ ભક્તિતત્ત્વ જ પ્રધાન છે. ભાવાર્થ : અવિઘા = અજ્ઞાનના ફળવાળી માયા, કલેશ મોહના ફળવાળો રાગાદિક સમૂહ, કર્મ = સંસારના ફળવાળા જ્ઞાનાવરણીયાદિ કર્મો, ભવનાં કારણો સર્વ દર્શનવાદીઓએ માનેલા છે, તે સર્વ એક જ કર્મરૂપ છે. માટે સર્વ કલ્પનાનો ત્યાગ કરી એક સર્વજ્ઞની જ ભક્તિ યુક્ત છે. [५६७] अस्यापि योऽपरो भेद-श्चित्रोपाधिस्तथा तथा । गीयतेऽतीतहेतुभ्यो धीमतां सोऽप्यपार्थकः ॥ ७३ ॥ મૂલાર્થ : આ કર્મનો પણ બીજો વિચિત્ર ઉપાધિવાળો ભેદ પૂર્વે કહેલા હેતુઓ થકી તે તે પ્રકારે કહેવામાં આવે છે, તે પણ બુદ્ધિમાન પુરુષોને માટે વ્યર્થ છે. ૨૮૮ : અધ્યાત્મસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy