SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ ઃ રાગદ્વેષને જીતનારા, સકલ ઉપાધિ રહિત સ્થિર બુદ્ધિવાળા જ્ઞાનીને ઈષ્ટમાં પ્રીતિ કે અનિષ્ટમાં અપ્રીતિ ઊપજતી નથી. કારણ કે તેઓ વ્યામોહથી મુક્ત એવા સમભાવવાળા છે. [५४०] अर्वाग्दशायां दोषाय वैषम्ये साम्यदर्शनम् । निरपेक्षमुनीनां तु रागद्वेषक्षयाय तत् ॥ ४६ ॥ મૂલાર્થઃ અર્વાગદશાને (કર્મયોગદશા) વિષે વિષમતામાં સમષ્ટિ રાખવી તે દોષને માટે થાય છે, પરંતુ નિરપેક્ષ મુનિજનોને તો તે સમદષ્ટિ રાગ અને દ્વેષના નાશ માટે થાય છે. જ્યારે કર્મયોગ સેવતા સાધકને જાતિ કુલ જેવી વિષમતાઓ સ્વીકારી વ્યવહાર કરવો પડે છે. - ભાવાર્થ : જાતિ, કુલ, ચાંડાળ આદિમાં ઊંચનીચતાની વિષમતા તો છે જ પરંતુ તેવી દૃષ્ટિથી જોવું તે પૂર્વાવસ્થારૂપી કર્મયોગની ભૂમિકા સુધી છે. પરંતુ જે મુનિઓ તેથી આગળની ભૂમિકામાં છે, તેવા મહાત્માઓને વૈષમ્યમાં પણ સામ્યભાવ દોષ નથી. કિન્તુ એવી દશા ગુણવૃદ્ધિનું કારણ બને છે. કારણ કે જ્ઞાનયોગીની કરુણા જ એવી છે. [५४१] रागद्वेषक्षयादेति ज्ञानी विषयशून्यताम् । छिद्यते भिद्यते वाऽयं हन्यते वा न जातुचित् ॥ ४७ ॥ મૂલાર્થ : જ્ઞાની રાગદ્વેષના ક્ષય થકી વિષયની શૂન્યતાને પામે છે. અને તે કદાપિ છેદાનો ભેદતો કે હણાતો નથી. ભાવાર્થ : જે જ્ઞાનીને વિષે દેહાદિકની મમતા છૂટી ગઈ છે, અને અન્ય વિષયમાં રાગદ્વેષનો અભાવ વર્તે છે, તેવા જ્ઞાનયોગી મુનિને બહારની વિષમતા આત્મધ્યાનને છેદતી નથી. શસ્ત્રથી કોઈ પ્રહાર કરે તો પણ રાગાદિના પરિણામના અભાવે ધ્યાનમાં ભેદ પડતો નથી. તેઓ શુદ્ધધર્મથી ચલિત થતા નથી. અર્થાત ગમે તે પરિસ્થિતિમાં તેમનો આત્મા છેદતો કે ભેદતો નથી. ચિત્તમાં કોઈ વિક્ષેપ ઉત્પન્ન થતો નથી. [५४२] अनुस्मरति नातीतं नैव काङ्क्षत्यनागतम् । शीतोष्णसुखदुःखेषु समो मानापमानयोः ॥ ४८ ॥ યોગસ્વરૂપ : ૨૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy