SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ [५३१] विषयेषु न रागी वा द्वेषी वा मौनमश्नुते । समं रुपं विदस्तेषु ज्ञानयोगी न लिप्यते ॥ ३७ ॥ મૂલાર્થ જ્ઞાનયોગી વિષયોને વિષે રાગી કે દ્વેષી હોતા નથી. તેથી તે મુનિપણું પામે છે. તથા વિષયોને વિષે સમાનરૂપને જાણીને લેપાતા નથી. ભાવાર્થ : વિષયોના આ સેવનરૂપ પાપ ન કરવા માત્રથી તે જ્ઞાની કે મુનિ છે તેમ માનવું તે નિશ્ચયનયથી ભૂલ ભરેલું છે. જ્ઞાનયોગી તો એ છે કે રાગના કે વૈષના બળવાન નિમિત્ત મળે તો પણ કિંચિત ક્ષોભ પામતા નથી તે મુનિ છે. ઈટાનિષ્ટ ભાવ જેના નષ્ટ થયા છે તે મુનિ છે. તે કદાચ પુણ્યબળે કંઈક સુખરૂપ જણાતા હોય તો પણ તે લેવાતા નથી. [५३२] सतत्त्वचिन्तया यस्याभिसमन्वागता इमे । ____ आत्मवान् ज्ञानवान्वेदधर्मब्रह्ममयो हि सः ॥ ३८ ॥ મૂલાર્થ : જે પુરુષને આ શબ્દાદિક વિષયો યથાર્થ સ્વરૂપની ચિંતાએ કરીને પોતાના ઉપભોગમાં આવેલા છે, તે આત્મવાન, જ્ઞાનવાન, વેદમય, ધર્મમય કે બ્રહ્મમય છે. ભાવાર્થ સ્વરૂપના ચિતન વડે શબ્દાદિક વિષયો જેને પરમાર્થથી દુઃખદાયક જણાયા છે. વળી એ વિષયોને આત્મજ્ઞાનવડે જેણે વશ કર્યા છે, તે યોગી આત્મવાન, જ્ઞાનવાન, વેદમયઃ સમગ્ર શાસ્ત્રના જ્ઞાતા, શુદ્ધ સ્વભાવરૂપ ધર્મમય, બ્રહ્મમય આત્મસ્વરૂપ મય છે. [ફ૩૩] વૈષવીનમજ્ઞાનં નિત્તિ જ્ઞાનયોજિનઃ | विषयाँस्ते परिज्ञाय लोकं जानन्ति तत्त्वतः ॥ ३९ ॥ મૂલાર્થ : જ્ઞાનયોગીઓ વિષમતાના બીજરૂપ અજ્ઞાનને હણે છે. તે યોગીઓ વિષયોને જાણીને સમગ્ર લોકને તત્ત્વથી જાણે છે. ભાવાર્થ ઃ ઈનિષ્ટ પદાર્થ પ્રત્યેના વિકલ્પરૂપ વિષમતાનું બીજ જે અજ્ઞાન છે. તેને જ્ઞાનયોગીઓ પ્રથમથી હણે છે. તેઓ સૃષ્ટિમાં રહેલા પદાર્થોને જાણે છે. પરંતુ તત્ત્વ દૃષ્ટિએ જોતા હોવાથી તેમાં પ્રિય-અપ્રિયપણું થતું નથી. કેવળ સમવૃત્તિ ધારણ કરનાર જ્ઞાનયોગી ૨૭૬ : અધ્યાત્મસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy