________________
[४८६] आमे घटे वारि धृतं यथा सद्विनाशयत्येत्स्वं च घटं च सद्यः असद्ग्रहग्रस्तमतेस्तथैव श्रुतात्प्रदत्तादुभयोर्विनाशः ॥ १४ ॥
મૂલાર્થ : જેમ કાચા ઘડામાં પાણી નાંખ્યું હોય તો તે પોતાનો તથા ઘડાનો તત્કાળ નાશ કરે છે, તેમ જેની બુદ્ધિ કદાગ્રહથી વ્યાપ્ત છે, એવા પુરુષને શ્રુતજ્ઞાન આપવાથી શ્રુત અને તે પુરુષ બંનેનો નાશ થાય છે.
ભાવાર્થ : કાચા ઘડામાં પાણી ભરવાથી ઘડો અને પાણી બંને વ્યર્થ જાય છે. તેમ કદાગ્રહી પુરુષને શ્રુતજ્ઞાન આપવામાં આવે તો તેનો દુરુપયોગ કરવા દ્વારા તે કદાગ્રહી પોતાનું ભવભ્રમણ વધારે છે, અર્થાત્ મરણના ફેરા વધારે છે. શ્રુતજ્ઞાનને જાણ્યા વગર જેટલું નુકસાન નથી, તેનાથી વધુ જાણીને તેની વિપરીત પ્રરૂપણા કરવામાં અહિત છે.
[૪૭] ગવ્રૂપ્રપ્રસ્તમતે પ્રવર્તે, હિતોપદેશ હજી યોવિમૂઢઃ ।
शुनीशरीरे स महोपकारी कस्तूरिकालेपनमादधाति ॥ १५ ॥ મૂલાર્થ : જે પુરુષ કદાગ્રહવડે જેની મતિ ગ્રસ્ત થઈ હોય એવા પુરુષને હિતોપદેશ આપે તો તે મૂઢ પુરુષ મહાઉપકારની બુદ્ધિથી કૂતરીના શરીર પર કસ્તૂરીનો લેપ કરે છે તેમ જાણવું.
ભાવાર્થ : કોઈ મહાત્મા કદાચિત કદાગ્રહીને હિતોપદેશ આપે છે તો તે કૂતરીના શરીર પર કસ્તૂરીનો લેપ કરવા જેવું થાય છે. કારણ કે તે લેપનું સુખ તે અનુભવતી નથી. કે તેને તે લેપ ગુણકારી થતો નથી. તે કદાગ્રહીને હિતોપદેશ તેના સુખને માટે થતો નથી.
[४८८] कष्टेन लब्धं विशदागमार्थं ददाति योऽसद्ग्रहदूषिताय । सखिद्यते यत्नशतोपनीतं, बीजं वपन्नूषरभूमिदेशे ॥ १६ ॥ મૂલાર્થ : જે પુરુષ મહાકષ્ટથી મેળવેલો નિર્મળ આગમનો અર્થ કદાગ્રહથી દૂષિત થયેલા મનુષ્યને આપે છે, તે માણસ સેંકડો પ્રયત્નોથી પાત્ર કરેલા બીજને ઉખર ભૂમિમાં વાવીને ખેદ પામે છે.
Jain Education International
૨૫૬ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org