SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ [५] जगदानन्दनः स्वामी, जयति ज्ञातनन्दनः । उपजीवन्ति यद्वाचमद्यापि विबुधः सुधाम् ॥ ५ ॥ મૂલાર્થઃ વિબુધો જેની વાણીરૂપ સુધીનું (અમૃત) હજી સુધી સેવન કરે છે, એવા અને જગતને આનંદ ઉત્પન્ન કરનારા સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી મહાવીર સ્વામી જયવંતા વર્તે છે. ભાવાર્થ આ પંચમ એવા દુષમકાળમાં શીતળછાયારૂપ આનંદથી ભરપૂર જેનું શાસન વર્તે છે, તેવા ત્રિશલાનંદન શ્રી મહાવીર જયવંતા વર્તો. ભલે તેમની દિવ્યવાણીનો સ્રોત બે હજાર અને પાંચસો વર્ષ પહેલાં પ્રસારિત થયો, છતાં તે દિવ્યતાનું સુધાપાન સુજ્ઞજનો આજે પણ સેવન કરે છે. અને પાવન થાય છે. [] તાનાર નિનામરૂર ગુપ - અધ્યાત્મસાધુના પ્રવર્તુમુત્સદે મૂલાર્થ : આ ઉપર કહેલા અને બીજા પણ તીર્થકરોને તથા ગુરુઓને નમસ્કાર કરીને હું હવે અધ્યાત્મસારને પ્રગટ કરવા ઉદ્યમવંત થાઉં છું. ભાવાર્થ : તીર્થંકરના નામકર્મનો મહિમા અભેદ અને અલૌકિક છે. ઉપર કહ્યા તે ઉપરાંત અન્ય તીર્થકરો અને તેમની પ્રણાલિને અનુસરનારા ગુરુજનોને નમસ્કાર કરીને હવે અધ્યાત્મસાર પ્રગટ કરવા ઉદ્યમવંત થાઉં છું. અધ્યાત્મસાર : આત્માનો અધિકાર જાણવાથી તેનો આશ્રય કરવાથી જેની પ્રાપ્તિ થાય તે અધ્યાત્મ. તેને માટે શુદ્ધ આત્મસ્વરૂપનું શ્રવણ કરવું, મન દ્વારા મનન કરવું, વારંવાર તેનું ઉંડા ઊતરી નિદિધ્યાસન કરવું, તેની ફળશ્રુતિરૂપે આત્મસ્વરૂપ અનુભવાત્મક થાય છે. તે અધ્યાત્મનો સાર અથવા પરમાર્થ છે. તે માટે હું ઉદ્યમવંત થાઉં છું. માંગલિક : ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy