________________
ભાવાર્થ : જિનવચનનું ઉત્થાપન કર્યું હોય, માર્ગથી વિપરીત પ્રરૂપણા કરી હોય, પછી ભલે વ્રતો આદર્યા, ઉગ્ર તપશ્ચર્યા કરી કે ભિક્ષાવૃત્તિમાં આહારશુદ્ધિ સાચવી અર્થાત્ બાહ્ય ચારિત્ર પાળ્યું, પરંતુ અંતરંગમાં મિથ્યા માન્યતાનું ઝેર રહી ગયું તો તે કરેલા તપાદિ સર્વ મિથ્યા ગયું. તેમાં મુખ્ય અપરાધ અસગ્રહનો છે. તપાદિ અનુષ્ઠાનનો નથી. [४८१] स्थालं स्वबुद्धिः सुगुरोश्च दातुरुप स्थिता काचन मोदकाली।
असद्ग्रहः कोऽपिगले ग्रहीता तथापि भोक्तुं न ददाति दुष्टः॥९॥ મૂલાર્થ : પોતાની બુદ્ધિરૂપી થાળી છે. અને તેમાં સગુણરૂપી દાતાર થકી કોઈક મોદકનો સમુહ પ્રાપ્ત થયો છે, તે છતાં અસઘ્રહ ગળેથી પકડે છે, તેથી તેને ખાવા દેતો નથી.
ભાવાર્થ સ્વબુદ્ધિરૂપી થાળ, ચિત્ત પ્રસન્નતા પામે તેવા ગુરુવચનના લાડુથી પીરસાઈ ગયો છે. પરંતુ પેલા દુષ્ટ દુરાગ્રહથી મુખ એવું જકડાઈ ગયું છે કે લાડુ ગળે ઊતરતો નથી. તેમ દુરાગ્રહીને બોધ શ્રવણ પરિણામ પામતો નથી. [૪૨] [ સારી
ચિમર્થ કૃતિના પ્રવર્તતઃ _િ| द्राक्षा हि साक्षादुपनीयमानाः क्रमेलकः
ટામુ ન મુહૂર્ત કે ૧૦ / મૂલાર્થ : ગુરુવડે પ્રસાદ કરાતા અર્થને દુરાગ્રહી માણસ ગ્રહણ કરતો નથી. તેથી કરીને શું ? કારણ કે કાંટાને ભક્ષણ કરનારો ઊંટ સાક્ષાત તેની પાસે જ લાવવામાં આવતી દરાખને ખાતો નથી.
ભાવાર્થ : જેમ શૂળ સહિત બોરડી ખાઈને પોતાના મુખના લોહીથી સુખ માણનાર ઊંટ દરાખ આપવામાં આવે તો ખાતો નથી. તેમ ગુરુકૃપાવડે મળેલા બોધ - અર્થને દુરાગ્રહી ગ્રહણ કરતો નથી. પરંતુ વિપરીત ભાવોને ગ્રહણ કરે છે. [४८३] असद्ग्रहात्यामरसंगतिं ये कुर्वन्ति तेषां न रतिर्बुधेषु । विष्टासुपुष्टाः किल वायसा नो
નિરાષ્ટિા પ્રમં મવત્તિ | ૧૧ |
૨૫૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org