SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ [४६६] भवकारणरागादि-प्रतिपक्षमदः खलु । __ तद्विपक्षस्य मोक्षस्य, कारणं घटतेतराम् ॥ ८३ ॥ મૂલાર્થ : આ ત્રણે રત્નો સંસારના હેતુરૂપ રાગાદિકના પ્રતિપક્ષ શત્રુઓ છે. માટે એ ત્રણ રત્નો તે સંસારના વિપક્ષ – શત્રુરૂપ હોઈ મોક્ષના ઉપાય હોય તે વાત અત્યંત યુક્ત છે. ભાવાર્થ સંસારના કારણભૂત અજ્ઞાન, મોહ અને રાગાદિક છે, એટલે મોક્ષના કારણ તેનાથી વિપક્ષ હોવા જોઈએ. અને તે છે સમ્યજ્ઞાન, દર્શન ચારિત્રની એકતા. તે સિવાય અન્ય સાધન નથી. રત્નત્રયના અંતરગત અન્ય હેતુઓ છે તે સાધકની પાત્રતા માટે [૬૭] મણ રત્નત્રયપાતે નિધુતા યથા | ___ परतोऽपि तथैव स्या-दिति किं तदपेक्षया ॥ १४ ॥ મૂલાર્થ : જેમ ત્રણ રત્નની પ્રાપ્તિ થયા પહેલાં કર્મની લઘુતા કોઈ પણ અન્ય સાધનથી થાય છે, તે જ પ્રમાણે મોક્ષનું સાધન પણ બીજું કંઈ હશે, માટે તે ત્રણ રત્નની જ અપેક્ષા શા માટે જોઈએ ? ભાવાર્થ ઃ સર્વ કર્મોના નાશરૂપ મોક્ષના સાધન રત્નત્રય કહો છો, પરંતુ તે રત્નત્રયની પાત્રતા માટે, કર્મની લધુતા માટે માર્ગાનુસારિણી, સેવા વગેરે હેતુ માનો છો, તેમ મોક્ષ માટે બીજું સાધન થઈ શકશે, તો પછી કેવળ રત્નત્રયની જ અપેક્ષા શા માટે ? [૪૬] નૈવું, ચતૂર્વસેવૈવ, પૃહી નો સાધના सम्यक्त्वादिक्रिया तस्माद्, दृढैव शिवसाधने ॥ ८५ ॥ મૂલાર્થ સમાધાનઃ પૂર્વ સેવા આદિ મોક્ષનું સાધન થઈ શકતા નથી. કારણ કે તે કોમળ છે, તેથી તે મોક્ષ સાધનની ક્રિયા નથી. તેથી કરીને દઢ એવી સમજ્વાદિ ક્રિયા જ મોક્ષ સાધનને વિષે સમર્થ છે. મિથ્યાત્વત્યાગ : ૨૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy