________________
મૂલાર્થ : સર્વથા પ્રકૃતિના ગુણો જ કર્મોને કરે છે, તો પણ અહંકારથી મૂઢ થયેલો પ્રાણી ‘હું કર્તા છું' એમ માને છે.
ભાવાર્થ: પ્રકૃતિ એટલે સત્ત્વ, રજસ અને તમસ. આ ત્રણ ગુણો વડે શુભાશુભ કર્મો કરાય છે, ત્યારે મૂઢ પ્રાણી અહંકારના જ્ઞાનવડે હું કર્મોનો કર્તા છે એમ માને છે. સાંખ્યમત. [४३९] विचार्यमाणं नो चारु, तदेतदपि दर्शनम् ।
તિવૈતન્યૂયોર્ચવાં, સામાનવેરખ્યતઃ || ૬ મૂલાર્થ : તે આ દર્શન પણ વિચાર કરવાથી સુંદર નથી. કેમ કે બુદ્ધિ અને ચૈતન્યનું અધિકરણ સમાન છે. તેથી તેનું અસુંદરપણું સ્પષ્ટ જ છે. - ભાવાર્થ ? આ સાંખ્યદર્શનની આલોચના કરતાં તે યથાર્થ જણાતું નથી. કારણ કે તેઓ બુદ્ધિ અને ચૈતન્યનું સમાન અધિકરણ માને છે. આમ ચૈતન્યની જેમ બુદ્ધિમાં નિત્યપણું આવશે અને બુદ્ધિનું નિત્યપણું આવે તો વિકલ્પાત્મક બુદ્ધિ સહિત ક્યારેય પણ પુરુષનો મોક્ષ ન થાય તેવો દોષ આવે, માટે આ દર્શન પણ યથાર્થ નથી. [४४०] बुद्धिः कर्वीच भोनी च नित्या चेत्रा स्ति निर्वृत्तिः
નિત્યાં વેત્ર સંસારઃ પ્રાથરિયાત છે ૬૭ મૂલાર્થ : તમે બુદ્ધિ કર્તા તથા ભોક્તા કહી. તો તે બુદ્ધિ જો નિત્ય હોય તો મોક્ષ થશે નહીં. અને જો અનિત્ય હોય તો સંસાર થશે નહીં. કારણ કે તે બુદ્ધિની ઉત્તિ પહેલાં ધર્માદિકનો યોગ નહોતો.
ભાવાર્થે પ્રકૃતિનું પ્રથમ પરિણામ બુદ્ધિને ચૈતન્યથી નિત્ય કહી છે. તે બુદ્ધિ જો કર્તા ભોક્તા હોય તો તેનો કદી મોક્ષ ન થાય. અને તે બુદ્ધિ ધર્માદિક સલ્વાદિ ગુણરૂપ પુણ્ય, જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય આદિવાળી હોય અને જો અનિત્ય માનો તો સંસાર રહેતો નથી. બંને રીતે દોષ આવશે. [૪૪] પ્રવૃત્તાવેવ ઘરિ-સ્વીકારે વ ા !
सुवचश्च घटादौ स्या-दीद्दग्धान्वयस्तथा ॥ ५८ ॥
૨૩૬ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org