SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની વાસના શી રીતે બીજી ક્ષણના નવા આત્મામાં સંક્રમ પામશે ? હા, જો પ્રત્યેક આત્માનો સંપૂર્ણ નિરન્વય) નાશ થતો ન હોત તો જરૂર બે આત્મા વચ્ચે કઈક સંબંધ (અન્વય-કડી) રહેત. અને તેથી તેના દ્વારા વાસના સંક્રમ પણ થાત. પરતુ એવો કોઈ એક દ્રવ્યનો અન્વય તો છે નહિ માટે વાસના સંક્રમ સંભવી શકતો જ નથી. વળી એક પૂર્વલણ આત્મા છે અને બીજો ઉત્તરક્ષણ આત્મા છે એવું જો આત્માદિભાવોનું તમે પૌર્વાપર્ય કહો તો તેથી કાંઈ વાસનાસંક્રમ ઉત્પન્ન નહિ થાય. કેમકે અમુક આત્માની ઉત્તરાયણમાં તે જ આત્માનો સજાતીય આત્મા છે તેમ બીજા તું વગેરે આત્માઓ પણ ક્યાં નથી ? એમ થતાં આત્મા અને ૩ આત્મા વચ્ચે પણ પૌર્વાપર્યભાવ બની જતાં આત્માની વાસનાનો ઉત્તરક્ષણીય પર્વ આત્મામાં સંક્રમ થઈ જવાની (અતિપ્રસક્તિ થવાની) આપત્તિ આવી જાય. આમ ગમે તે ઉત્તર આત્મસણમાં ગમે તે પૂર્વેક્ષણીય આત્માણની વાસના સંક્રમની અતિપ્રસક્તિ થઈ જવાની આપત્તિ આવી જાય. [४१९] कुर्वद्रूपविशेषे च, न प्रवृत्तिर्न वाऽनुमा । ___ अनिश्चयान वाऽध्यक्षं, तथा चोदयनो जगौ ॥ ३६ ॥ મૂલાર્થ : કુવૈતૂપના વિશેષ વાળો આત્મા માનવાથી શુભાશુભ પ્રવૃત્તિ થશે નહીં, અનુમાન થશે નહીં અને નિશ્ચય નહીં હોવાથી પ્રત્યક્ષ પ્રમાણ પણ રહેશે નહીં. તે બાબત ક્ષણિકવાદીને પ્રેરણા કરતાં સિદ્ધાન્તીએ નીચે પ્રમાણે કહ્યું છે. ભાવાર્થઃ બૌદ્ધઃ જે પૂર્વેક્ષણીય આત્મામાં ઉત્તરક્ષણીય આત્માનું સ્મરણાનુકૂલ કુર્ઘદ્રુપવિશેષ હોય તે પૂર્વેક્ષણીય આત્માની વાસનાનો જ તદુત્તરસણીયતદાત્મામાં સંક્રમ થાય એમ અમે કહીશું. કુસલ0 બીજમાં અંકુરોત્પાદનોનુકૂળ કુર્વિદ્રપવિશેષ નથી જ્યારે ક્ષેત્રસ્થ બીજમાં તેવું કુર્વિદ્રપવિશેષ છે માટે તેમાંથી જ અંકુરોત્પાદ થશે. આમ કુર્ઘદ્રપવિશેષવાળો તે તે પૂર્વેક્ષણીય ક્ષણિક પદાર્થ માનવાથી મિથ્યાત્વત્યાગ : ૨૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy