SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ : જૈન:- બૌદ્ધમતનું આવું પ્રતિપાદન મિથ્યાત્વની વૃદ્ધિ કરવા સિવાય કશું જ કરતું નથી. જો આત્મા એકાન્તે ક્ષણિક હોય તો અમુક ક્ષણે તેણે જે પુણ્યાદિ કર્યાં તેના ફળની હાનિ થઈ જશે, કેમ કે જે આગામી ક્ષણોમાં ફળ મળવાનું છે તે ક્ષણમાં તો એ આત્મા રહ્યો જ નથી. વળા અનંતર ક્ષણોમાં જે નવો આત્મા ઉત્પન્ન થયો તેણે તો ધર્માદિ કર્યાં નથી છતાં તેને સુખાદિની પ્રાપ્તિ થઈ જશે. આમ પહેલી ક્ષણનો આત્મા કે જેણે ધર્માદિ કર્યાં તેનું તેને ફળ મળશે નહિ અને પછીની ક્ષણનો નવો આત્મા કે જેણે ધર્માદિ કાર્ય કર્યાં નથી તેને સુખાદિ ભોગવવા મળશે. એટલે કરેલાં ધર્માદિ (કૃત)ના ફળનો નાશ અને ધર્માદિ નહિ કરવા છતાં તે (અકૃત)ના ફળરૂપ સુખાદિનો આગમ એમ બે દોષ આવશે. [૪૧૬] દ્રવ્યાન્નયાઽમાવા-દ્વાનાસંમશ્ર ૬ । पौर्वापर्य्यं हि भावानां सर्वत्रातिप्रसक्तिमत् ॥ ३५ ॥ મૂલાર્થ : એક (આત્મરૂપ) દ્રવ્યનો અન્વય નહીં હોવાથી વાસનાનો સંક્રમ થશે નહીં. કારણ કે પદાર્થોનું પૂર્વાપર૫ણું સર્વત્ર અતિ-પ્રસક્તિવાળું છે. ભાવાર્થ : બૌદ્ધ:- અમારા ક્ષણિક આત્મવાદમાં કૃતનાશ અને અકૃતાગમ દોષો આવી શકતા જ નથી કેમ કે અમે વાસના સંક્રમ માનીએ છીએ. ભલે આત્મા એકાન્ત ક્ષણિક હોવાથી પ્રત્યેક ક્ષણે નષ્ટ થઈ જાય છે પરંતુ તે તે જ્ઞાનક્ષણરૂપ આત્મા પોતાનામાં રહેલી વાસનાઓનો ઉત્તરોત્તર ક્ષણમાં સંક્રમ કરતો જાય છે. એટલે હવે ઉત્તરક્ષણના નવા આત્મામાં પૂર્વક્ષણીય ધર્માદિવાસનારૂપ કારણ આવી જતાં તેનું સુખાદિ ફળ તે જરૂર ભોગવે. હવે કૃતનાશાદ દોષો ક્યાં રહ્યા ? જૈન : આ વાત બરોબર નથી. તમારા મતે તો દરેક ક્ષણ દરેક આત્માનો સર્વથા નાશ (નિરન્વય નાશ) થઈ જાય છે. હવે જ્યારે પ્રથમ ક્ષણીય આત્મા સંપૂર્ણ નષ્ટ થઈ ગયો ત્યારે તે Jain Education International ૨૨૪ : અધ્યાત્મસાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy