________________
[૪૧] ક્ષળિજે તુ મૈં રોષોઽસ્મિન્, ઝુર્વદ્રવિશેષિતે । ध्रुवेक्षणोत्थतृष्णाया, निवृत्तेश्च गुणो महान् ॥ ३३ ॥
મૂલાર્થ : કુર્વદ્રુપથી વિશેષ કરેલા અમારા ક્ષણિકવાદમાં કોઈ પણ દોષ નથી. અને ઊલટાનો નિત્યત્વપક્ષને જોવાથી ઉત્પન્ન થયેલી તૃષ્ણાની નિવૃત્તિરૂપ મહાગુણ થાય છે. (કુર્વદ્રુપ = કાર્યશક્તિ)
ભાવાર્થ : આમ અમે તો આત્માને એકાન્ત ક્ષણિક માનીએ છીએ એટલે અમારે તો પૂર્વોક્ત કોઈ દોષનો સંભવ જ નથી. પ્ર. શું ક્ષણિક આત્મા પ્રત્યેક પળે કાર્ય કરવાના સ્વભાવવાળો
છે ?
ઉ. ના. આત્મા સૂર્વગ્રૂપથી વિશિષ્ટ જ્યારે બને ત્યારે જ તે કાર્યોત્પાદ કરે, અન્યથા નહિ. કૂર્વગ્રૂપ એટલે કાર્ય કરવાની શક્તિ (અર્થક્રિયાકારિત્વ). જે ક્ષણે અર્થક્રિયા (કાર્ય) થાય તેની પૂર્વક્ષણે (આત્મા) પૂર્વગ્રૂપથી વિશિષ્ટ હોય.
વળી આત્માને જેઓ ક્ષણિક નથી માનતા તેમને તો ‘હું છું' (બનશ્મિ) એવું ગ્રૂવ નિરીક્ષણ સ્વરૂપ આત્મદર્શન થવાનું જ. એટલે તેના પુનર્જન્મના હેતુભૂત તૃષ્ણા પણ થવાની. અર્થાત્ તેને આત્મા ઉપર સ્નેહ થવાનો જ. અને તેથી તે આત્મા સુખના સાધનો તરફ દોટ પણ મૂકવાનો.
જો આત્માને ક્ષણિક માનીએ તો ‘હું છું' એવું આત્મદર્શન થશે નહિ. તેથી તેની ઉપર સ્નેહ નહિ થાય; તેથી સુખસાધનો પ્રતિ દોટ પણ નહિ મુકાય. આમ નિત્ય આત્મદર્શન, વિરાગનું વિરોધી બને છે. જ્યારે ક્ષણિક રૂપે આત્માનું દર્શન તો તૃષ્ણાની નિવૃત્તિનો મહાન ગુણ પ્રાપ્ત કરી આપે છે.
[૪૧૭] મિથ્યાત્વવૃદ્ધિ નૂન, તવેતવપિ વર્શનમ્ ।
क्षणिके कृतहानिर्य-तथात्मन्यकृतागमः ॥ ३४ ॥
મૂલાર્થ : તે બૌદ્ધોનું દર્શન પણ નિશ્ચે મિથ્યાત્વની વૃદ્ધિ કરનારું છે, કેમ કે આત્માને ક્ષણિક માનવાથી કરેલાં કર્મનો નાશ અને નહીં કરેલા કર્મની પ્રાપ્તિ એ રૂપ દોષ આવે છે.
મિથ્યાત્વત્યાગ : ૨૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org