SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ શુભ વ્યાપારનો નિષેધ કરનારા છે, અને પાપને ઉત્પન્ન કરનારા ભાવાર્થ : આ પ્રમાણે સ્પષ્ટપણે સિદ્ધ થાય છે, માટે તેવા શુદ્ધધર્મનું અપલાપ કરનારા કે શુભ અનુષ્ઠાનોનો નિષેધ કરનારા મતનો ત્યાગ અવશ્ય કરવો, તેમના કોઈ પણ પ્રકારો પાપમૂલક છે, મોક્ષમાર્ગ માટે વિઘાતક છે, માટે શીઘ્રતાથી ત્યજી દેવા. [૪૧૪] જ્ઞાનક્ષળાવીપો, નિત્વો નાસ્મૃતિ સૌપતાઃ । क्रमाक्रमाभ्यां नित्यत्वे, युज्यतेऽर्थक्रिया न हि ॥ ३१ ॥ મૂલાર્થ : બૌદ્ધો કહે છે કે જ્ઞાનના ક્ષણની પરંપરારૂપ આત્મા છે, નિત્ય આત્મા નથી. નિત્ય માનવાથી ક્રમે કરીને અથવા અક્રમે કરીને પણ અર્થક્રિયા ઘટતી નથી. ભાવાર્થ : બૌદ્ધમતઃ આત્મા છે તે માનીએ છીએ પણ તે નિત્ય છે તેમ માનતા નથી. જ્ઞાન ક્ષણની ધારાવાળો આત્મા છે, તેથી પહેલી ક્ષણે આત્મા ઉત્પન્ન થાય છે, ત્યારે તેની સ્થિતિ હોય છે, બીજી ક્ષણે તે જ્ઞાનરૂપ ધારાનો ક્ષય થાય છે, અર્થાત આત્માનો ક્ષય થાય છે. આમ પ્રતિક્ષણ જ્ઞાન ઉત્પન્ન થતું રહે છે. તે જ આત્મા છે. ક્રમ એટલે કાળના ભેદે ક્રિયા કરવી તે, અક્રમ એટલે એક જ ક્ષણે સર્વ ક્રિયાઓ કરવી. તે બંને વડે અર્થક્રિયા જો આત્માને નિત્ય કહીએ તો ઘટશે નહિ. માટે આત્મા નિત્ય નથી. [ ४१५] स्वभावहानितोऽध्रौव्यं क्रमेणार्थक्रियाकृतौ । અભેળ ૪ તત્વમાવે, યુવત્સર્વસમ્ભવઃ ॥ ૩૨ ॥ મૂલાર્થ : તેમાં જો આત્મા ક્રમે કરીને અર્થક્રિયા કરતો હોય તો તેના નિત્યપણાની હાનિ થઈ માટે તે આત્મા નિત્ય ઠરશે. અને જો અક્રમે યુગપત્ કરીને અર્થક્રિયા કરે છે, એમ કહેશો તો એકી સમયે સર્વ ક્રિયાઓ થવી જોઈએ. ભાવાર્થ : પૂર્વે કરેલી ક્રિયા સંપૂર્ણ થયા પછી બીજી ક્રિયાનો આરંભ કરવો તે ક્રમ છે. જો તમે ક્રમને માનશો તો તમારા મિથ્યાત્વત્યાગ : ૨૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy