________________
[09] શરીરચૈવ વાગડત્મત્વે, નાગડનુમૂતસ્મૃતિર્મવેત !
बालत्वादिदशाभेदा - त्तत्यैकस्याऽनवस्थितेः ॥ १८ ॥ મૂલાર્થઃ વળી શરીરને જ આત્મા માનવાથી પૂર્વ અનુભવેલાની મૃતિ થશે નહીં કારણ કે બાલ્ય વગેરે અવસ્થાના ભેદને લીધે તે એકલા શરીરની અસ્થિરતા છે.
ભાવાર્થઃ વળી શરીરને જ આત્મા માનવામાં આવેલો પૂર્વે આહારાદિનું ગ્રહણ કરેલું સ્મૃતિમાં આવશે નહીં. વળી બાલ્ય, યૌવન તથા વૃદ્ધત્વ જેવી શરીરની પલટાતી અવસ્થામાં એકપણું નથી અને હું બાલ્યાદિરૂપે હતો તેનું ભાન - અહંકાર તો એકપણે વર્તે છે. તેથી શરીરના ધર્મમાં અહંકારાદિ ઘટી શકતા નથી. જે તત્ત્વ બાલ્યાવસ્થામાં રહીને બાળપણાનો અને યુવાવસ્થામાં યુવાવસ્થાનો અનુભવ કર્યો હતો તે અનુભવજન્ય આત્મા છે. શરીર આત્મારૂપ હોય તો આવી અવસ્થાઓનો અનુભવ થતો નથી. [૪૦૨] નાત્મકું, વિડિસ્થિ તથ્થાનુસ્મૃતિ ર્યતઃ |
ગૃહરાવાક્ષસ્થ, તદ્ઘઘાતૃવત્ ! ૧૧ || મૂલાર્થ વળી શરીર આત્મા કહી શકાશે નહીં. કારણ કે કોઈ અંગનો નાશ થયા પછી પણ પૂર્વે પ્રાપ્ત થયેલા પદાર્થનું સ્મરણ થઈ શકે છે. જેમ ઘરની બારી પડી જવાથી પણ તે બારીથી પ્રાપ્ત થયેલા પદાર્થને જાણનાર માણસને તેની સ્મૃતિ થાય છે.
ભાવાર્થ : જેમ ઘરના એક અંગરૂપ બારીનો નાશ થવાથી તે વાટે જોયેલા પદાર્થોનો નાશ થતો નથી પણ તે પદાર્થો સ્મૃતિમાં રહે છે. વળી નેત્રનો નાશ થયા પછી પૂર્વે જોયેલા પદાર્થોની સ્મૃતિ રહે છે. ચક્ષુરાદિ શરીરરૂપે આત્મા હોય તો તેની સ્મૃતિ રહેવી શક્ય નથી. માટે દેહ અને જીવ બંને લક્ષણથી જુદા છે. બંને એક ક્ષેત્રે હોવાથી એકરૂપે ભાસે છે તે અજ્ઞાન છે, અને તેથી સર્વ પ્રવૃત્તિનો આરોપ દેહ સાથે કરવામાં આવે છે. [૪૦૩] રોષઃ રણ િવાસનામીચ, ૧ |
भ्रूणस्य स्मरणापत्ते-रम्बानुभवसङ्क्रमात् ॥ २० ॥
મિથ્યાત્વત્યાગ : ૨૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org