________________
કે તે વચનાતીત છે, પરંતુ વ્યવહારનય તે આત્માને ચેતન, સત્વ વગેરે શબ્દો વડે અથવા નિશ્ચયના ગુણ દ્વારા બોધ કરવા સમર્થ છે, અર્થાત્ વ્યવહાર જ તે નિશ્ચય સ્વરૂપનો બોધ કરી શકે છે. [३९१] प्राधान्यं व्यवहारे चेत्, तत्तेषां निश्चये कथम् ।
__परार्थस्वार्थते तुल्ये शब्दज्ञानात्मनोईयोः ॥ ८ ॥
મૂલાર્થઃ એ કોઈ વ્યવહારને વિષે પ્રાધાના કહે તો તેઓને નિશ્ચયને વિષે પ્રાધાન્ય ક્યાંથી થશે ?
ભાવાર્થઃ જો નિશ્ચય રહિત કોઈ વ્યવહારને જ પ્રાધાન્ય કરશે તો આત્માની ધ્રુવ સત્તાનું કે શુદ્ધ જ્ઞાનાદિરૂપ નિશ્ચયનું પ્રાધાન્ય કેવી રીતે થશે ? વ્યવહાર સ્વરૂપ શબ્દાદિ છે, નિશ્ચયનું સ્વરૂપ જ્ઞાનાદિ છે, તે બંને પોતામાં કાર્ય કરનારા છે. શબ્દ સંકેત દ્વારા જ્ઞાન સ્વરૂપ આત્માનો બોધ થાય છે. ' અર્થાતુ વ્યવહારનય “ઘટ' શબ્દ કહે છે, નિશ્ચયનય ઘટરૂપ અર્થને કહે છે, અને વસ્તુ તો ઘટ રૂપ છે. શબ્દ વ્યવહાર છે, જ્ઞાન એ નિશ્ચય છે. આથી બંને નયનું પોતપોતામાં પ્રધાનપણું સિદ્ધ થાય છે. [३९२] प्राधान्याद् व्यवहारस्य, ततस्तच्छेदकारिणाम् ।
मिथ्यात्वरुपतैतेषां, पदानां परिकीर्तिता ॥ ९ ॥ મૂલાઈ : તેથી કરીને વ્યવહારના પ્રધાનપણાને લીધે તે વ્યવહાર ઉચ્છેદ કરનારા પૂર્વોક્ત પદોનું મિથ્યાત્વપણું કહ્યું છે.
ભાવાર્થ : આથી દાનાદિ વ્યવહારનું તે તે સ્થાને પ્રાધાન્ય છે. માટે તેવા વ્યવહારનો છેદ કરતાં સ્થાનો મિથ્યાત્વરૂપ બને છે. [३९३] नास्त्येवात्मेति चार्वाकः, प्रत्यक्षानुपलम्भतः ।
દંતાવ્યપદેશય, શરીરેનોપપત્તિતઃ || ૧૦ | મૂલાર્થ : પ્રત્યક્ષપણે આત્મા દેખાતો નથી માટે આત્મા છે નહીં. અને અહંકાર પણાનો વ્યપદેશ તો શરીરથી થઈ શકે છે. એ ચાર્વાક કહે છે.
ભાવાર્થ : ચાર્વાક મત કહે છે કે જો આત્મા હોય તો જેમ
મિથuત્વત્યાગ : ૨૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org