________________
છતાં તેમને હિંસાનો દોષ થતો નથી. વળી વિહારાદિમાં પણ જે કંઈ કીડાદિની વિરાધના થાય તો પણ તે સમયે તે જીવ પ્રત્યે અત્યંત કરુણાભાવ હોવાથી અને પસ્તાવો હોવાથી હિંસાના દોષનો અભાવ છે, અને કરુણાભાવનો ઉત્કર્ષ થાય છે. તેથી કરીને તેમના જ્ઞાનાદિક ગુણો વૃદ્ધિ પામે છે, તે અહિંસાભાવનું ફળ છે.
આવી પ્રમાદરહિત દશાનું અનુકરણ જો તેથી ઓછી દશાવાળે કરે તો તેને દોષ લાગે. માટે જ્યાં જેની સંભાવના છે તે પ્રમાણે વિવેક રાખીને વર્તવું. [૭૭] મુઘાનામયજ્ઞત્વતિ, સાનુવસ્થા ન વરિત
ज्ञानोद्रेकाप्रमादाभ्या-मस्या यदनुबन्धनम् ॥ ५२ ॥ મૂલાઈ : અજ્ઞાનને કારણે મૂર્ખ માણસોને આ અહિંસા કદાપિ અનુબંધવાળી થતી નથી. કારણ કે આ અહિંસાનો અનુબંધ અધિક જ્ઞાન તથા અપ્રમાદથી જ થાય છે.
ભાવાર્થ : અજ્ઞાન, મિથ્યાત્વ, કે જ્યાં વિપરીત પરિણામ છે ત્યાં આવી અહિંસાનો લેશમાત્ર નથી. અપ્રમાદ દશા અને અતિન્દ્રિય જેવું જ્ઞાન હોય ત્યાં આવી હિંસા નિર્દોષ કહી શકાય. [૩૭] સ્થાપિ હિંસાધા-મુવતં સુમહત્તર !
भाववीर्यादिवैचित्र्या-दहिंसायां च तत्तथा ॥ ५३ ॥ મૂલાર્થ એક જ જાતની હિંસામાં પણ ભાવ અને વીર્યની વિચિત્રતાને લીધે. અત્યંત અંતર છે, તે જ પ્રમાણે અહિંસામાં અંતર છે.
ભાવાર્થ : એક જ જાતિના જીવની હિંસામાં પણ વ્યક્તિના સ્વયં રાગાદિ પરિણામ ભેદથી, તેના ફળમાં ઘણું અંતર પડે છે.
તે પ્રમાણે અહિંસા પાલનમાં પણ યતનામાં ઉપયોગની તરતમતાથી અંતર રહે છે. [૭૧] સઃ સિાન્તરે વૈત-દ્વિપાના મિત્રતા !
પ્રતિપક્ષાત્તરાર્તન, તથા વિનિયોતિઃ || ૬૪ | મૂલાર્થ: આ હિંસા તથા અહિંસાના વિપાકે કરીને પણ ભેદ છે. કારણ કે તેવા પ્રકારની શક્તિના નિયોગથી પ્રતિપક્ષના અંતરાલે
૨૦૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org