SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ અપેક્ષાએ ક્રિયાવાન માનવામાં નહિ આવે તો ઘણા દોષો ઉત્પન્ન થશે. [३५६] कथञ्चिन्मूर्ततापत्तिं विना वपुर संक्रमात् । વ્યપારાયો તથૈવ વિવિવં પુ || ૩૦ || મૂલાર્થઃ શરીર વિના તેમાં સંક્રમ ન થવાથી આત્માને કોઈ પણ પ્રકારે મૂર્તપણાની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે મા વાદીએ નિઃસાર કહ્યું છે, કારણ કે તે આત્માને વ્યાપારનો જ અયોગ છે. ભાવાર્થ : જો આત્માને શરીરાદિ યોગ ન હોય તો શરીર વિના પણ આત્માને રૂપીપણાની પ્રાપ્તિ થશે. આત્મા અરૂપી છે. અને જો આત્માને યોગાદિ વ્યાપાર-પ્રવૃત્તિ ન હોય તો શરીરની પ્રાપ્તિ ન હોય આ વાત આકાશના પુષ્પની જેમ તુચ્છ છે. એટલે આત્માને કેવળ કૂટનિત્ય કે વિભુ કહેવો તે બરાબર નથી. એકાંત અનિત્ય આત્મવાદનું સમાધાન [३५७] निष्क्रियोऽसौ ततो हन्ति, हन्यते वा न जातुचित् । શ્વવિદિત્યેવ, હિંગોપપતે તે રૂ૨ છે. મૂલાર્થ: તેથી કરીને આ આત્મા નિષ્ક્રિય હોવાથી કદાપિ કોઈને હણતો નથી. તેમ કોઈથી હણાતો નથી, માટે આ નિત્ય આત્માને હિંસા પ્રાપ્ત થતી નથી. ભાવાર્થ એકાંત નિત્ય પક્ષથી અને એકાંત નિષ્ક્રિયતા માનવાથી દોષ એ આવશે કે જીવ કોઈને હણતો નથી, કોઈથી હણાતો નથી. આથી આત્માને હિંસા પ્રાપ્ત થશે નહિ. જે પદાર્થ દેહથી કેવળ ભિન્ન તથા કેવળ અભિન્ન હોય તેને જ હિંસા ઘટે, આત્મા સર્વથા દેહથી ભિન્ન હોય તો હિંસાની જ ઉત્પત્તિ થતી નથી તો પછી અહિંસા કેવી રીતે તેમના મતમાં ઘટશે ? [३५८] अनित्यैकान्तपक्षेऽपि, हिंसादीनामसम्भवः ।। નાશતોરયોન, ક્ષત્રિય સાઘના રૂ૩ મૂલાર્થઃ એકાંત અનિત્ય પક્ષમાં પણ હિંસાદિકનો અસંભવ છે. કારણ કે ક્ષણિકપણાને સિદ્ધ કરવાથી નાશના કારણનો અયોગ થાય સમક્તિ અધિકાર : ૧ કપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy