________________
છે. તેનું પરિણામ પણ નિર્દોષ છે, દાનાદિ પ્રાથમિક ભૂમિકા છે, તે સમક્તિ હોવાથી સફળતા પામે છે. જેમ સોનાના અલંકારમાં ભેળવેલું ત્રાંબુ પણ સોનાપણાનું નામ પામે છે તેમ વાસ્તવમાં પરમાર્થપણે સમક્તિ જ મોક્ષનું સાધન બને છે. [३२८] कुर्वाणोऽपि क्रियां ज्ञाति-धनभोगाँस्त्यजन्नपि ।
૩ઃચોરો કાનોકપિ, નાથો કયતિ વૈળિયું / ૩ / મૂલાર્થઃ અંધ માણસ ગમે તેવી ક્રિયા કરે, જ્ઞાતિ, ધન, અને ભોગનો ત્યાગ કરે. અને દુઃખને પોતાનું હૃદય આપે તો પણ તે વૈરીને જીતી શકાતો નથી.
ભાવાર્થ નેત્રહિન મનુષ્ય શબ્દવેધી બાણના પ્રહારાદિકમાં કુશળતા પ્રાપ્ત કરે, ધન, કુટુંબ, સુખ કે ભોગનો ત્યાગ કરી યુદ્ધ ચઢે. અને જંગલમાં જઈને ઘણાં કષ્ટો સહન કરે તો પણ તે નેત્રયુક્ત મનુષ્યની જેમ યુદ્ધમાં શત્રુઓથી જય પામતો નથી, તેમ અજ્ઞાનસહિત કરેલા વ્રતાદિ મનુષ્યને સંસારનો જય કરવામાં ઉપકારક થતા નથી. [૨૧] સુર્વત્રિવૃત્તિ મળેવું, મોર્ચના |
दुःखस्योरो ददानोऽपि, मिथ्यादृष्टिर्न सिद्धयति ॥ ४ ॥ મૂલાર્થ : એ જ પ્રમાણે નિવૃત્તિને ભજતો, કામભોગને ત્યજતો અને દુઃખને હૃદયમાં ધારતો મિથ્યાષ્ટિ સિદ્ધ થતો નથી.
ભાવાર્થ સમક્તિ જ મોક્ષનું સાધન છે, તે છોડીને મિથ્યામતિ બીજા યમ નિયમાદિ અનેક સાધના કરે, સંસારથી નિવૃત્તિ કરે. વિષયાદિ કામભોગોનો ત્યાગ કરે, કાયાને કષ્ટ આપી હૃદયમાં દુઃખને સેવે, આવી દુષ્કર બાહ્ય ક્રિયાઓ કરે તો પણ તે મોક્ષમાર્ગમાં પ્રવેશ પામતો નથી. કારણ કે મૂળમાં જે તત્ત્વોની શ્રદ્ધાથી વિપરીત પદાર્થોમાં તેની શ્રદ્ધા હોવાથી તે સત્ સાધનને પામતો નથી. [३३०] कनीनिकेव नेत्रस्य, कुसुमस्येव सौरभम् ।।
सम्यक्त्वमुच्यते सारः, सर्वेषां धर्मकर्मणाम् ॥ ५ ॥ મૂલાર્થ : નેત્રમાં કીકીની જેમ અને પુષ્પમાં સુગંધની જેમ સર્વ ધર્મકાર્યોમાં સમક્તિને જ સારભૂત માનેલું છે.
૧૮૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org