SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ દશા પામે છે, તે દશા સર્વ વ્યવહાર પ્રયોજનથી મુક્ત એવી સમાધિદશાને ઉત્પન્ન કરે છે, તેના સ્વામી પ્રાયે યોગીજનો છે, માટે શુદ્ધનું લક્ષ્ય અને શક્યનો આરંભ કરવો. [૨૨] રૂડ દિ સર્વવિવિષયવૃત हृदयमात्मनि केवलमागतम् । चरणदर्शनबोधपरम्परा રચિતં પ્રસરત્યવિવટ છે ૧૨ / મૂલાર્થ : અવશ્ય આ નિર્વિકલ્પ દશાને વિષે જ સર્વ બાહ્ય વિષયોથી રહિત કેવળ આત્માને વિષે જ લય પામેલું જ્ઞાનદર્શન અને ચારિત્રની પરંપરાથી પરિચિત થયેલું તથા વિકલ્પોથી રહિત એવું મન પ્રસરે છે. ભાવાર્થ : શુભાશુભ બંને વિકલ્પોથી રહિત, આત્મ સ્વરૂપને વિષે જેની સ્થિરતા છે. તેને શુદ્ધ દર્શન જ્ઞાન અને ચારિત્રની પરિણતિનું એકત્વ થયું છે, તેવા પરિણામવાળું શુદ્ધ ચિત્ત ધારાવાહી આત્મામાં લય પામ્યું છે. અર્થાત્ સાગરના પેટાળની જેવું સ્થિર મન આત્માને જ વિષે પ્રવત્ છે. શુદ્ધ મનનું સ્થાન જ આત્માનું જ્ઞાનસ્વરૂપ છે. કદાચ ઉદયમાં શુભાશુભ યોગ હો તો પણ મન રાગાદિભાવ રહિત એવા નિર્વિકલ્પમાં સ્થિર છે. સવિકલ્પ દશા હો તો પણ તે આત્મચિંતનરૂપ હોય છે. [૨૨૩] તમિચ૦િધુના નો, - નિયતવસ્તુવિતાસ્થપિ નિશ્ચય | क्षणमसङ्गमुदीतनिसर्गधी, હૃતિદિરમન્નાહવાહતમ્ | ૨૦ || મૂલાર્થ : તેથી કરીને હમણાં પણ આ યોગીનું મન નિયત વસ્તુને વિષે વિલાસવાળું થઈને પણ નિશ્ચય સ્વભાવને લીધે બીજું કંઈ પણ ગ્રહણ કરતું નથી. કેમ કે ક્ષણવાર અસંગ થયેલું અને ઉદય પામેલી નિસર્ગ બુદ્ધિ વડે જેનું બહિર્મુખ જ્ઞાન નાશ પામ્યું છે એવું ચિત્ત આ નિશ્ચયકલ્પનાને વિષે કહેલું છે. ૧૭૬ : અધ્યાત્મસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy