SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦] ચુતમસહિષયવ્યવસાયતો, लगति यत्र मनोऽधिकसौष्ठवात् । प्रतिकृतिः पदमात्मवदेव वा, तदवलम्बनमत्र शुभं मतम् ॥ १७ ॥ મૂલાર્થ : અશુભ વિષયના વ્યાપારથી નિવૃત્તિ પામેલું મન અતિ પ્રસન્નતાને લીધે જે પદાર્થ પર લાગે છે. તે પદાર્થ પણ આત્માની જેમ અથવા જિન પ્રતિમાની જેમ આ મનશુદ્ધિમાં શુભ અવલંબનરૂપ છે. ભાવાર્થ સાંસારિક પ્રવૃત્તિમાં મનની ચંચળતાને કારણે મનમાં અશુભ ધારાનું સાતત્ય હોય છે. પરંતુ શુભ અવલંબન દ્વારા સુપ્રસન્નતાથી જે પદાર્થમાં ધ્યાન કરે અથવા આત્મ સ્વરૂપના ચિંતનમાં લય પામે તો તે પ્રકારો મનશુદ્ધિ માટે ઉપકારક અને અવલંબનરૂપ બને છે. શુદ્ધ પ્રતિમાના દર્શન આદિ બાહ્ય અવલંબન પણ મન શુદ્ધિને ઉપકારક છે. [૨૧] તદનું વાવન નિશ્ચયત્વના, विगलितव्यवहारपदावधिः । न किमपीति विवेचनसन्मुखी, મતિ સર્વનિવૃત્તિ માટે છે 99 / મૂલાર્થ: ત્યાર પછી “મારે વ્યવહાર કંઈ પણ કામનો નથી” એ પ્રમાણેનું વિવેચન કરવામાં સન્મુખ અથવા જેમાં વ્યવહારના સ્થાનનો છેડો પૂર્ણ થયો છે, એવી કોઈ અપૂર્વ નિશ્ચય નયની કલ્પના સર્વ નિવૃત્તિની સમાધિ માટે થાય છે. ભાવાર્થ : જેમ મંત્ર વડે શરીરમાં રહેલું વિષ નષ્ટ થયા પછી ડંખના સ્થાને વિષની અસર રહે છે, તેમ અશુભ વિકલ્પોને દૂર કર્યા પછી શુભ વિકલ્પનો વ્યવહાર રહ્યો છે. પરંતુ એવા શુભપયોગમાં ચિત્તની પ્રસન્નતા તેને વ્યવહાર છૂટી જવામાં ઉપકારક થાય છે. વળી હવે સ્વ-પરનો ભેદ અનુભૂત થવાથી વ્યવહારનું હવે મને પ્રયોજન નથી' તેમ સૂક્ષ્મભાવને ગ્રહણ કરવાવાળી આત્મસ્વભાવરૂપ પરિણતિ થવાથી અપૂર્વ કોટિની નિશ્ચયદશાની ભાવના ઉત્પન્ન થાય છે. હવે શુભ વિકલ્પ પણ છૂટી જાય છે. અને ચિત્ત નિર્વિકલ્પ મનશુદ્ધિ અધિકાર : ૧૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy