SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં જ ચરણના પ્રહારથી પૃથ્વીને ખોદે છે, અને તે ધૂળવડે અંધકારને ફેલાવે છે. તેથી તેને વશ કરવો પણ દુર્દમ છે. તેમ મનરૂપી અશ્વ જ્ઞાનાદિકે કરી બાંધેલો હોવા છતાં જીવ અજાગૃત રહેતો તેની ચપળતાવડે તે સંયમની ધરાને ખોદી નાંખે છે. અને મોહનીય આદિ કર્મ વડે સ્થિરતાને ડગમગાવી દે છે. વળી અજ્ઞાનરૂપી અંધકારવડે પાપનો વિસ્તાર કરે છે. એવું મન એક માત્ર જ્ઞાન વડે યોગીઓ તેને બાંધી રાખે છે. [૨૦] બિનવવધનસામનિસ્તુ, कुसुमसायक पावकदीपकः । अहह कोऽपि मनःपवनो बली, शुभमतिद्रुमसन्ततिभङ्गकृत् ॥ ६ ॥ વાયુવેગી મન મૂલાર્થ અહો ! આ મનરૂપી વાયુ અત્યંત બળવાન છે, કેમ કે તે જિનેશ્વરના વચનરૂપી ઘનસારનું (વિશેષનું) હરણ કરે છે. કામાગ્નિને પ્રજ્વલિત કરે છે. અને શુભ મતિરૂપ વૃક્ષસમૂહને ભાંગી નાંખે છે. ભાવાર્થ : મનની ગતિ વાયુવેગી છે. એક ક્ષણમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરે તેવી તેની ચપળતા છે. આ ચપળતાને કારણે આગમધરોના હાથમાંથી પણ મન સર્પની જેમ વાંકુંચૂકું થઈને તે ભાગી જાય છે. તે સમયે ધારણ કરેલા સર્વજ્ઞનાં પવિત્ર વચનો અને સિદ્ધાંતોના સારનું પણ એ વાયુરૂપ મન હરણ કરે છે. વળી શાંત થયેલા ઇન્દ્રિયોના વિકારને, કામરૂપી અગ્નિને પ્રજ્વલિત કરે છે. કલ્યાણકારી બુદ્ધિને તે મૂળમાંથી ઉખેડીને ફેંકી દે છે. મનરૂપી પ્રચંડ વાયુ યોગીઓને પણ હલાવી નાંખે છે. એ સમયે ગુરુકૃપામૃત વડે યોગીઓ ટકી જાય છે. [39] વરખોપુરમપરઃ સુરત | સમયવોઘતન પતિયનું છે भ्रमति यद्यतिमत्तमनोगजः, कव कुशलं शिवराजपथे तदा ॥ ७ ॥ ૧૬૮ : અધ્યાત્મસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy