________________
વિરહીજનોને અપ્રીતિ થાય છે, અને અન્ય જીવોને રતિ-પ્રીતિ થાય તો તેથી કંઈ નિર્મળ એવા ચંદ્રને શો વિકાર થાય ?
ભાવાર્થ : કવિઓનું કથન છે કે પૂર્ણિમાની ચાંદનીમાં ચંદ્રનાં કિરણો જોવાથી વિરહીજનોને સંતાપ પેદા થાય છે. અને અન્ય જીવોને તે પૂર્ણ ચંદ્રને જોવા વિષે આનંદ ઊપજે છે, તો તેમાં ચંદ્રની કોઈ વિષમતા થીં નથી. કોઈ સંતાપ પામો કે આનંદ પામો ચંદ્ર તો જેવો છે તેવો શીતળ રહે છે.
તેમ જેનું મન શુદ્ધ છે તેને કોઈ રાગ કરે કે દ્વેષ કરે પોતાને કંઈ વિષમતા થતી નથી. સ્વયં જેનું મન મલિન છે તેને અન્યનું નિમિત્ત મળતા રાગાદિના વિકલ્પ ઊઠે છે. [૩૦] રુવિતમાનયજ્ઞનુપસ્થિત,
स्वमनसैव हि शोचति मानवः ।
उपनते स्मयमानमुखः पुनर्-,
भवति तत्र परस्य किमुच्यताम् ॥ ३ ॥
મૂલાર્થ : મનુષ્ય પોતાની અભિષ્ટ વસ્તુને પ્રાપ્ત ન થયેલી જાણીને પોતાના મનવડે જ શોક કરે છે. અને તે વસ્તુ પ્રાપ્ત થવાથી પાછો હસતા મુખવાળો થાય છે. માટે તેમાં બીજો કારણભૂત શી રીતે થાય ?
ભાવાર્થ : મનુષ્યને પોતાના મનમાં જ પોતાના સંસ્કાર વડે જ હર્ષ કે શોક ઉત્પન્ન થાય છે. પણ અજ્ઞાનવશ મનુષ્ય એમ માને છે કે મને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ અપ્રાપ્તિથી શોક કે હર્ષ થાય છે. જો અન્ય પદાર્થમાં હર્ષ-શોક કરવાનું પ્રયોજન હોય તો જે પદાર્થથી એકને હર્ષ થાય તે પદાર્થથી સર્વને હર્ષ થાય. પણ તેવું છે નહિ. દમના દર્દીને દૂધ કફ કરે તે દૂધ નીરોગીને પુષ્ટ કરે. તેમ હર્ષ શોક એ અપેક્ષિત નિમિત્ત છે.
ગ્રંથકારે મનને અનેક ઉપમાઓ દ્વારા તેની ગહનતા દર્શાવી છે. અને જણાવ્યું છે કે છતાં આવા મનનો જ્ઞાનયોગીઓ નિગ્રહ કરી શક્યા છે.
Jain Education International
૧૬૬ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org