SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ અભિલાષી ચિત્ત શુદ્ધિ વડે, શુદ્ઘ ઉપયોગરૂપ જે અનુષ્ઠાન કરે છે તે અમૃતાનુષ્ઠાન છે. [૨૧૧] શાસ્ત્રાર્થાતોષનું સભ્ય, પ્રળિયાનું ૬ મંત્રિ | कालाद्यविपर्यासोऽमृतानुष्ठानलक्षणम् ॥ २७ ॥ મૂલાર્થ : સારી રીતે શાસ્ત્રના અર્થનું ચિંતવન, ક્રિયાને વિષે મનની એકાગ્રતા તથા કાલાદિક અંગોનો અવિપર્યાસ તે અમૃતાનુષ્ઠાનનું લક્ષણ છે. ભાવાર્થ : શાસ્ત્રોક્ત જીવાદિ પદાર્થો; જગતનું ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જેવા વિષયોનું સૂક્ષ્મ ચિંતન છે અને જે સમયની જે ક્રિયા હોય તેમાં એકાગ્રતા છે. તથા જ્ઞાનાભ્યાસમાં વિનયાદિ વિષે શુદ્ધમતિ છે, તે અમૃતાનુષ્ઠાનનું લક્ષણ છે. [૨૨૨] ધ્રુવં હિ સનુષ્ઠાનં, ચમત્રાસવેવ ચ । તાપિ પરમં શ્રેષ્ઠ, મોહોવિષનાશનાત્ ॥ ૨૬ ॥ મૂલાર્જ : આ પાંચ પ્રકારના અનુષ્ઠાનમાં છેલ્લાં બે અનુષ્ઠાનો સત્ છે. અને પ્રથમનાં ત્રણ અસત્ છે. તે બેમાં પણ છેલ્લું મોહરૂપી ઉગ્ર વિષનો નાશ કરનાર હોવાથી શ્રેષ્ઠ છે. ભાવાર્થ : સત્ અનુષ્ઠાન કે જે વડે આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. તદ્ભુતુ અને અમૃતાનુષ્ઠાન આત્મશુદ્ધિના સ્પર્શયુક્ત છે તેથી આરાધવા યોગ્ય છે. અસત્ અનુષ્ઠાન જે વડે આત્માની શુદ્ધિનો, ચિત્તશુદ્ધિનો હ્રાસ થાય છે, તે વિષ, ગરલ, અને અનનુષ્ઠાન એ ત્રણે અસત્ છે. તેનો ત્યાગ કરવા યોગ્ય છે. તેમાં પણ પાંચમું અમૃતાનુષ્ઠાન સર્વોત્કૃષ્ટ છે, કારણ કે મોહરૂપી ઉગ્ર વિષનો તે નાશ કરનાર છે. સાકોનો અંતરંગ પરિણામના ભેદથી આ ભેદ પડે છે. અને તેથી બાહ્ય ક્રિયામાં પણ સત્ અસત્ ક્રિયાઓ જોવામાં આવે છે. [૨૨] આવરઃ, રળે પ્રીતિ-વિઘ્નઃ સમ્માનમઃ । નિજ્ઞાસા તખ્તસેવા 7, સનુષ્ઠાનનક્ષળમ્ || ૨ || મૂલાર્થ : આદર ક્રિયા કરવામાં પ્રીતિ, અવિઘ્ન, Jain Education International ૧૫૬ : અધ્યાત્મસાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy